SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મનાથ સ્વામી રાજ્યનો કારભાર સંભાળ્યો. ધર્મનાથકુમારે પાંચ લાખ વર્ષ સુધી રાજ્યનો કારભાર સંભાળીને પૃથ્વીનું રક્ષણ કર્યું. એક દિવસ અંતરમાં વૈરાગ્ય ધારણ કરવાની ભાવના તીવ્ર બનતાં ધર્મનાથકુમારે પ્રવજ્યા કરવાનો વિચાર ફર્યો. એ જ વખતે લોકાંતિક દેવતાઓએ આવીને ધર્મનાથકુમારને ભાવવાહી સ્વરે કહ્યું : ‘સ્વામી, તીર્થ પ્રવર્તાવો...’ ૧૨૩ અને ધર્મનાથકુમારે વાર્ષિક દાનની સરિતા વહેવડાવી. વર્ષના અંતે દેવતાઓએ અભિષેક કરેલા નાગદત્તા નામની શિબિકામાં બેસીને ધર્મનાથકુમાર વપ્રકાંચન નામના રમણીય ઉદ્યાનમાં આવ્યા. માઘ માસની શુકલ ત્રયોદશીએ પુષ્પ નક્ષત્રમાં દિવસના પાછલા પ્રહરે એક હજાર રાજાઓની સાથે છઠ્ઠ તપ કરીને પ્રભુએ દીક્ષા અંગીકાર કરી. એ જ સમયે શ્રી ધર્મનાથ સ્વામીને ચોથું મન:પર્યવ જ્ઞાન પ્રાપ્ત થયું. બીજે દિવસે શ્રી ધર્મનાથ સ્વામી સોમનસપુરમાં રાજા ધર્મ સિંહના ભવનમાં આવ્યા અને પરમ અન્નથી પારણું કર્યું, ત્યાં વસુધારા વગેરે પાંચ દિવ્ય પ્રગટ થયા. રાજા ધર્મ સિંહે પ્રભુના ચરણની ભૂમિ ૫૨ રત્નમય પીઠ કરાવી. ત્યાર પછી પ્રભુ ગામ, નગરમાં વિહાર કરવા લાગ્યા. શ્રી ધર્મનાથ સ્વામી બે વર્ષ સુધી છદ્મસ્થપણે વિહાર કરીને ફરતાં ફરતાં જ્યાં દીક્ષા અંગીકાર કરી હતી તે વપ્રકાંચન નામના ઉદ્યાનમાં આવ્યા. ત્યાં દધિપર્ણ વૃક્ષની નીચે ધ્યાન કરતાં પ્રભુને પોષ માસની પૂર્ણિમાના દિવસે પુષ્પ નક્ષત્રમાં ચંદ્ર આવતા કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તરત જ તે સ્થાને દેવતાઓએ રચેલા સમવસરણમાં પ્રભુએ દેશના આપી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005243
Book TitleChovish Tirthankar
Original Sutra AuthorN/A
AuthorVimalkumar Mohanlal Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy