________________
૧૨૨
ચોવીશ તીર્થંકર
સપ્તમીના દિવસે ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં આવતાં તે જીવ મહાદેવી સુવ્રતાના ઉદરમાં અવતર્યો.
તે સમયે મહાદેવી સુવ્રતાએ તીર્થકરના જન્મને સૂચવનારાં ગજ વગેરે ચૌદ મહાસ્વપ્નો જોયાં.
અનુક્રમે પૂર્ણ સમયે માઘ માસની, શુકલ તૃતીયાને દિવસે પુષ્ય નક્ષત્રમાં વજના લાંછનવાળા સુવર્ણવર્ણ પુત્રને જન્મ આપ્યો.
તરત જ ભોગંકરા વગેરે છપ્પન દિકકુમારીઓએ ત્યાં આવીને પ્રભુ તથા પ્રભુની માતાનું સૂતિકાકર્મ કર્યું.
તે જ સમયે સૌધર્મલોકના ઈન્દ્ર ત્યાં આવીને પ્રભુને લઈને મેરૂ પર્વત આવ્યો. ત્યાં અતિપાંડુકબલા નામની શિલાની ઉપર રત્નમય સિંહાસન પર પ્રભુને પોતાના ઉત્સંગમાં લઈને ઇન્દ્ર બિરાજમાન થયો.
અશ્રુત વગેરે ત્રેસઠ ઈદ્રોએ પવિત્ર તીર્થજળથી વિધિપૂર્વક પ્રભુને સ્નાત્ર કરાવ્યું. ત્યાર પછી ઈશાન ઈદ્રના ખોળામાં પ્રભુને બેસાડીને સૌંધમેન્દ્ર સ્નાત્ર કર્યું અને વિલેપન વગેરેથી પૂજા કરીને પ્રભુની ભાવથી સ્તુતિ કરી.
શક્રાંન્દ્ર સ્તુતિ પૂરી કરીને ઈશાનંદ્રની પાસેથી પ્રભુને લઈ સુવ્રતારાણીની પાસે જેમ હતા તેમ મૂકી દીધા.
જ્યારે પ્રભુ માતાના ગર્ભમાં હતા ત્યારે રાણી સુવ્રતા દેવીને ધર્મ કરવાનો દોહદ ઉત્પન્ન થયો હતો. એથી મહારાજા ભાનુએ પુત્રનું નામ ધર્મ પાડ્યું. દેવકુમારોની સાથે સુખેથી કીડા કરતા ધર્મનાથ કુમાર શિશુ અવસ્થા પસાર કરી અને પિસ્તાલીસ ધનુષ ઊંચી કાયાવાળા યૌવન વયને પ્રાપ્ત થયા.
મહારાજા ભાનુ અને રાણી સુવતાની આગ્રહભરી વિનંતીને સ્વીકારીને ધર્મનાથકુમારે રાજકન્યા સાથે પાવિગ્રહણ કર્યું.
જન્મથી અઢી લાખ વર્ષ ગયા પછી પિતાના આગ્રહથી પ્રભુએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org