________________
૧૫
• શ્રી ધર્મનાથ સ્વામી
રત્નપુર નામનું નગર. ભારતવર્ષમાં રત્નાકરની જેમ શોભતું નગર.
રત્નપુર નગરની શોભા અપૂર્વ હોવાથી પરગામના લોકો નગરી દર્શન અર્થે પધારતા, નગરીની અનોખી શોભા નિહાળીને સૌ કોઈ મોંમાં આંગળાં નાંખી જતા. દુઃખ, પરિતાપનું નામોનિશાન નહોતું. નગરીના લોકો સંતોષી અને સુખી હતા. કોઈને કોઈ વાતની પાંતીનું દુઃખ નહોતું.
નગરીનો રાજા ભાનુ તેજ વડે સૂર્ય સમાન, શત્રુરૂપ તૃણપુંજમાં અગ્નિ સમાન અને નિર્મળ ગુણોથી શોભતો હતો.
મહારાજા ભાનુની રાજસંચાલનની કાર્યદક્ષતાને કારણે અન્યાય, અત્યાચાર, અનીતિને કોઈ સ્થાન નહોતું.
મહારાજા ભાનુનો રાજમહેલ ભવ્ય અને કલાત્મક હતો. રાજભવનમાં ઉપવન હતું. ઉપવનમાં વિવિધ જાતના વૃક્ષો, લત્તાઓ તેમજ રંગબેરંગી પુષ્પોની સારસંભાળ ઉદ્યાન રક્ષક યોગ્ય રીતે કરતો હતો. મહારાજા ઘણી વાર ઉપવનમાં લટાર મારવા પણ જતા હતા.
મહારાજા ભાનુને સુવ્રતા નામની પટ્ટરાણી હતી. સુવ્રતા મહાદેવી સદાચારિણી, પતિવ્રતવાળી અને શીલના શણગાર સમી હતી. લજ્જા તેની સહચરી હતી.
મહારાજા ભાનુ અને રાણી સુવ્રતાના દિવસો સુખેથી નિર્ગમન થતાં હતાં.
એક દિવસ વૈજયંત નામના બીજા અનુત્તર વિમાનમાં રહેલા દઢરથ રાજાના જીવે પરમ સુખમાં મગ્ન થઈને ત્યાં પોતાનું આયુષ્ય પૂર્ણ કર્યું. પછી ત્યાંથી આવીને વૈશાખ માસની શુકલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org