________________
ચોવીશ તીર્થંકર
નામની દિકકુમારીકાઓ તીર્થકર તથા મરુદેવાને નમસ્કાર કરીને હાથમાં પંખા ધારણ કરીને ગીત ગાતી પશ્ચિમ દિશામાં ઊભી. રહી.
ઉત્તર રૂચક પર્વત પરથી અલંબુસા, મિશ્રકેશી, પુંડરિકા, વારૂણી, વાસા, સર્વપ્રભા, શ્રી અને સ્ટ્રી નામની આઠ કુમારિકાઓ અભિયોગિક દેવતાઓની સાથે વેગથી ત્યાં આવી અને ભગવંતને તથા તેમની માતાને નમન કરીને હાથમાં ચામર ગ્રહણ કરીને ગાયન કરતી ઉત્તર દિશામાં ઊભી રહી.
| વિદિશામાં રહેલા રુચક પર્વતથી ચિત્રા, ચિત્રકનકા, સતેરા અને સૂત્રામણિ નામની ચાર દિકકુમારીકાઓ પણ ત્યાં આવી પહોંચી. જિનેશ્વર ભગવંતને તથા તેમની માતાને નમન કરીને હાથમાં દીપક રાખીને ઈશાન વગેરે વિદિશાઓમાં ઊભી રહી.
રચકદ્રીપથી રૂપા, રૂપાસિકા, સુરૂપા તથા રૂપકાવતી નામની ચાર દિકકુમારીઓ પણ તરત જ ત્યાં આવી. તેઓએ ભગવાનના નાભિનાલને ચાર અંગુલ રાખીને છેદન કર્યું. પછી ત્યાં એક ખાડો ખોદીને તેમાં તે નિક્ષિપ્ત કરીને ખાડાને રત્ન અને વજોથી પૂરી દીધો.
ત્યારબાદ સૂતિકર્મ પૂરું કરીને દિકુમારીઓ સ્વસ્થાનકે
ગઈ.
થોડી વારમાં શક્રેન્દ્ર દેવે મરુદેવાની પાસે આવીને નમ્ર ભાવે કહ્યું : હે દેવી, હું સૌધર્મ દેવલોકનો ઈન્દ્ર છું. આપના પુત્ર અહિતનો જન્મોત્સવ કરવા માટે અહીં આવેલો છું.’
આટલું કહીને શક્રેન્દ્ર દેવે મરુદેવા માતા પર અવસ્વાપનિકા નામની નિદ્રા નિમણિ કરી અને પ્રભુનું એક પ્રતિબિંબ કરીને પાર્શ્વ ભાગમાં મૂક્યું. પછી ઈદ્ર પોતાના પાંચ રૂપ કયાં અને ભગવાનને મેરુપર્વત પર લઈ ગયા. ત્યાં પાંડુકવનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org