________________
શ્રી ઋષભદેવ સ્વામી
તોયધારા, વિચિત્રા, પુષ્પમાલા અને અનિંદિતા નામની આઠ દિકકુમારીઓ તરત જ અધોલોકમાંથી ભગવાનના સૂતિકાગૃહ આવી, આદિ તીર્થકર તથા તીર્થંકરની માતાને ત્રણ વાર પ્રદક્ષિણા દઈને વંદના કરીને કહ્યું : હે જગન્માતા, અમે આપને વંદન કરીએ છીએ. અમે અધોલોકમાં નિવાસ કરનારી આઠ દિકકુમારીઓ છીએ. અવધિજ્ઞાન વડે પવિત્ર એવા તીર્થકરના જન્મને જાણીને તેમના પ્રભાવથી એમનો મહિમા કરવા માટે અત્રે આવ્યાં છીએ.”
આટલું કહીને આઠેય દિકકુમારીઓએ એક હજાર સ્તંભવાળું સૂતિકાગૃહ રચ્યું. ત્યારબાદ ગીત ગાતી તેમની નજદીક ઊભી રહી.
જ્યારે મેરુપર્વત પર નિવાસ કરતી મેથંકરા, મેઘવતી, સુમેધા, મેઘમાલિની, તોયધારા, વિચિત્રા, વારિષેણા અને બલાહકા નામની દિકકુમારીઓ પણ ત્યાં આવી પહોંચી અને પૃથ્વીને સુશોભિત કરીને પ્રભુના ગુણોનું ગાન કરતી ઉચિત સ્થાને ઊભી રહી.
રુચક નામના તેરમા દ્વીપમાં પૂર્વ દિશાના પર્વતો પર રહેનારી નંદા, આનંદા, નંદિવર્ધના, વિજ્યા, વૈજયંતી, જયંતી અને અપરાજિતા નામની આઠ દિશાકુમારીઓ પણ આવીને તીર્થકર અને મરૂદેવા માતાને વંદન કરીને માંગલિક ગીતો ગાવા લાગી. આઠેયના હાથમાં દર્પણ હતાં.
દક્ષિણ ગુચકમાં રહેનારી સમાહરા, સુખદત્તા, સુપ્રબુદ્ધ, યશોધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા અને વસુંધરા નામની દિકકુમારીએ હાથમાં કળશ ધારણ કરીને દક્ષિણ દિશામાં ગાયન કરતી ઊભી રહી.
પશ્ચિમ રુચક પર્વત પર રહેનારી ઈલાદેવી, સુરાદેવી, પૃથ્વી, પદ્માવતી, એકનાસા, અનવમિકા, ભદ્રા તથા અશોક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org