________________
શ્રી ઋષભદેવ સ્વામી
ચૂલિકાની દક્ષિણે અતિ પાંડુકબલા નામની શિલા ૫૨ અર્હત સ્નાત્રને યોગ્ય સિંહાસન પર પૂર્વ દિશાના પતિ ઇંદ્ર સહિત પ્રભુને પોતાના ઉત્સંગમાં લઈને બેઠા. આ પ્રસંગે અનેક દેવ-દેવતાઓ વિમાનમાં બેસીને મેરુ પર્વત પર આવ્યા અને સૌએ જન્મ ઉત્સવની ઉજવણી કરીને પ્રભુને સ્નાન કરાવ્યું.
દેવતાઓ પ્રભુના જન્મની ભવ્ય ઉજવણી અને સ્નાન કરાવીને યથાસ્થાને પ્રભુને મૂકી ગયા. દેવ-દેવતાઓ પોતાના સ્થાને ચાલ્યા ગયા.
૫
જ્યારે મરુદેવા જાગૃત થયા ત્યારે એમણે સ્વામી નાભિરાજાને દેવતાઓના આવાગમન સંબંધિત વૃતાંત જણાવ્યો. પ્રભુના ઉરુને વિષે ૠષભનું ચિહ્ન તેમજ મરુદેવાએ સ્વપ્નમાં ઋષભ પ્રથમ જોયો હતો તેથી હર્ષ પામેલા માતાપિતાએ શુભ દિવસે ઋષભ નામ પાડ્યું. તે સાથે યુગ્મ ધર્મે પ્રસરેલી કન્યાનું નામ સુમંગલા નામ પાડ્યું.
પ્રભુના જન્મને એક વર્ષ થયા બાદ પ્રભુના વંશની સ્થાપના કરવા ઇન્દ્ર હાથમાં શેરડીનો સાંઠો લઈને આવ્યા. પિતાના ખોળામાં બેઠેલા પ્રભુએ ઇન્દ્રની ઈચ્છાને અનુલક્ષીને તે શેરડીના સાંઠા તરફ પોતાનો હાથ લંબાવ્યો, અને ઇન્દ્ર તે સાંઠો પ્રભુના હાથમાં આપ્યો. પ્રભુના વંશની સ્થાપના ઈક્ષુ પ્રસંગે શેરડીની અભિલાષા થવામાં હું નિમિત્ત બન્યો છું, એમ વિચારીને પ્રભુનો ઈક્ષ્વાકુ વંશ પૃથ્વીને વિષે સ્થાપીને ઇન્દ્ર પોતાના સ્થાને ગયા.
તીર્થંકર ભગવાનને ચોત્રીશ અતિશય હોય છે. જેમાં ચાર અતિશયો જન્મથી હોય છે.
નાભિરાજાના સમયમાં સૌથી પ્રથમ વખત એક વિચિત્ર ઘટના બનવા પામી. બાલ્યાવસ્થામાં દિવસો પસાર કરનાર એક યુગલ તાલવનમાં આનંદ કિલ્લોલ કરતું હતું ત્યારે નરના મસ્તક પર તાલળ પડ્યું અને એનું ત્યાં જ મૃત્યુ થયું. એ સમયમાં યુગલિયામાંથી એક મૃત્યુ પામે અને બીજાં જીવંત રહે એમ કદી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org