________________
શ્રી અનંતનાથ સ્વામી
૧૧૯
મુક્તિનો માર્ગ બતાવ્યો.
પ્રભુની દેશના ગ્રહીને અનેક લોકોએ પ્રવજ્યા અંગીકાર કરી. પુરુષોત્તમ વાસુદેવ સમકિત પામ્યા અને સુપ્રભ બલભદ્ર શ્રાવકત્વ સ્વીકાર્યું.
પ્રથમ પૌરુષી પૂરી થતાં પ્રભુ દેશનાથી વિરામ પામ્યા. ત્યાર પછી યશ નામના મુખ્ય ગણધરે દેશના આપી. બીજી પૌરુષી પૂર્ણ થતાં તેઓ પણ દેશનાથી વિરામ પામ્યા.
- ત્યાર પછી ઇન્દ્ર, વાસુદેવ અને બલભદ્રાદિક પ્રભુને વંદન કરીને પોતપોતાના સ્થાને ગયા.
શ્રી અનંતનાથ સ્વામી ગ્રામ, આકર તથા નગરોમાં વિહાર કરવા લાગ્યા.
શ્રી અનંતનાથ સ્વામી ભગવંતને છાસઠ હજાર સાધુ મહાત્માઓ, નવસો ચૌદ પૂર્વધારી, ચાર હજાર અને ત્રણસો અવધિજ્ઞાની, ચાર હજાર અને પાંચસો મન:પર્યવજ્ઞાની ભગવંતો, પાંચ હજાર કેવળજ્ઞાની ભગવંતો, આઠ હજાર વૈક્રિય લબ્ધિવાળા, ત્રણ હજાર અને બસો વાદ લબ્ધિવાળા. બાસઠ હજાર તપસ્વી સાધ્વીઓ, બે લાખ અને છ હજાર શ્રાવકો અને ચાર લાખ અને ચૌદ હજાર શ્રાવિકાઓનો પરિવાર કેવળજ્ઞાન પામ્યા પછી ત્રણ વર્ષે ઉણા સાડા સાત લાખ વર્ષ સુધી પૃથ્વી પર વિહાર કરતાં થયો.
ત્યાર પછી પોતાનો મોક્ષકાળ નજદીક જાણીને શ્રી અનંતનાથ સ્વામી સમેત શિખર ગિરિ પધાર્યા.
ત્યાં સાત હજાર સાધુઓની સાથે પ્રભુએ અનસન વ્રત પ્રહણ કર્યું.
એક માસના અંતે ચૈત્ર શુકલ પંચમીના દિવસે ચંદ્ર પુષ્પ નક્ષત્રમાં આવતાં અનંત પ્રભુ સાત હજાર મુનિરાજોની સાથે મોક્ષે ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org