________________
૧૧૮
ચોવીશ તીર્થકર
વાળો, રાતાવર્ણનો, ત્રણ દક્ષિણ ભુજાઓમાં પધ, ખડગ અને પાશ, તથા ત્રણ વામ ભૂજાઓમાં નકુળ, ફલક અને અક્ષસૂત્ર ધરનારો પાતાળ નામે યક્ષ શાસનદેવ થયો.
જ્યારે ગૌર વર્ણવાળી, પાઘ પર બેસનારી, બે દક્ષિણ ભુજામાં ખડગ અને પાશ તથા બે વામ ભુજામાં ફલક અને અંકુશ ધરનારી અંકુશા નામે શાસનદેવી થઈ.
બંને શાસન દેવતા નિરંતર પ્રભુની સમીપ રહીને સેવા કરવા લાગ્યા.
એક વાર વિહાર કરતાં કરતાં શ્રી અનંતનાથ સ્વામી દ્વારિકા-પુરીમાં આવ્યા. ત્યાં શકેંદ્રાદિક દેવતાઓએ છસો ધનુષ્ય ઊંચા ચૈત્યવૃક્ષ વડે શોભતું સમોસરણ રચ્યું. તેમાં પૂર્વ દ્વારેથી પ્રવેશ કરીને પ્રભુ અનંતનાથ સ્વામીએ ચૈત્યવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા કરી અને તીર્થને નમસ્કાર કરીને પૂર્વાભિમુખ સિંહાસન ઉપર બેઠાં. ત્યારબાદ સર્વ સંઘ પોતપોતાના સ્થાને પોતાની યોગ્ય સ્થિતિ પ્રમાણે બિરાજ્યો.
વ્યંતર દેવતાઓએ પ્રભુના ત્રણ પ્રતિબિંબ ત્રણેય દિશાઓમાં રત્નમય સિંહાસન ઉપર વિમુલ્યાં.
ઉદ્યાનના રક્ષકોએ ચૌદમા તીર્થંકર ભગવંત શ્રી અનંતનાથ સ્વામી સમોસર્યાના સમાચાર પુરુષોત્તમ વાસુદેવને આપ્યા. રક્ષકોને સાડા બાર કોટિ સૌનેયા ઉપહારમાં આપવામાં આવી.
વાસુદેવ બળભદ્રને લઈને સમવસરણમાં આવ્યા, ત્યાં પ્રદક્ષિણા કરીને પ્રભુને વંદન કર્યા. પછી ઈદ્ર, વાસુદેવ અને બલભદ્ર ઊભા થઈને ભક્તિભાવથી ગદ્ગદ વાણીથી ભગવંતની સ્તુતિ કરી.
ઈન્દ્ર, વાસુદેવ તથા બળભદ્ર સ્તુતિ કરીને વિરામ પામ્યા, ત્યાર પછી શ્રી અનંતનાથ સ્વામીએ દેશના આપવી શરૂ કરી.
શ્રી અનંતનાથ સ્વામીએ સંસારનું સ્વરૂપ સમજાવ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org