________________
શ્રી અનંતનાથ સ્વામી
૧૧૭
સાગરદત્તા નામની શિબિકામાં આરૂઢ થયા ત્યારે શક્ર વગેરે ઇન્દ્રોએ છત્ર, ચામર અને પંખ ધારણ કરીને પ્રભુની પાસે રહ્યાં.
સાગરદત્તા શિબિકામાં બિરાજમાન થયેલા. અનંતનાથકુમાર સુર, અસુર, માનવ સમુદાય સાથે સહસ્ત્રાપ્રવનમાં આવ્યા.
ઈદ્રના હાથના ટેકાથી સાગરદત્તા શિબિકામાંથી પ્રભુ ઊતર્યા અને અલંકારો વગેરેનો ત્યાગ કર્યો.
અને વૈશાખ માસની કૃષ્ણ ચતુર્દશીના દિવસે રેવતી નક્ષત્રમાં અપરાહુનકાળે છઠ્ઠ તપ કરીને એકહજાર રાજાઓની સાથે અનંતનાથકુમારે પ્રવજ્યા ગ્રહણ કરી. એ જ સમયે અનંતનાથ પ્રભુને ચોથું મન:પર્યવજ્ઞાન ઉપલબ્ધ થયું. ઈંદ્રાદિક દેવતાઓ પ્રભુને વંદના કરીને પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા.
બીજે દિવસે વર્ધમાન નગરના મહારાજા વિજય રાજાના ભવને જઈને ચૌદમાં અહિતે પરમ અન્નથી પારણું કર્યું ત્યારે દેવતાઓએ વસુધારાદિક પાંચ દિવ્ય પ્રગટ કર્યો અને પ્રભુના ચરણ જ્યાં સ્થિર થયા હતા તે જગ્યાએ વિજયરાજાએ એક રત્નમય પીઠ કરાવી.
ત્યાર પછી શ્રી અનંતનાથ સ્વામી ત્યાંથી નીકળીને પરિષહને સહન કરતાં વિહાર કરવા લાગ્યા.
ત્રણ વર્ષ સુધી છઘસ્થપણે વિહાર કરીને અનંતનાથ પ્રભુ સહસ્ત્રાપ્રવનમાં આવ્યા. ત્યાં અશોક વૃક્ષ નીચે રહી ધ્યાન કરતાં ઘાતિકર્મોનો ક્ષય થયો. વૈશાખ માસની કૃષ્ણ ચતુર્દશીના દિવસે ચંદ્ર રેવતી નક્ષત્રમાં આવતાં છઠ્ઠ તપ કરીને રહેલા શ્રી અનંતનાથ પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.
પછી દિવ્ય સમોવસરણમાં બેસીને પ્રભુએ દેશના આપી અને યશ વગેરે પચાસ ગણધરો સ્થાપ્યા.
શ્રી અનંતનાથ પ્રભુના તીર્થમાં ત્રણ મુખવાળો, મગરના વાહન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org