________________
૧૧૬
ચોવીશ તીર્થંકર
વૃષભ વિફર્યાં. તેમના શૃંગમાંથી નીકળતા જળ વડે પ્રભુને સ્નાન કરાવ્યું. પછી દેવદૂષ્ય વસ્ત્ર વડે પ્રભુના અંગને લૂછી, ચંદનાદિકથી વિલેપન અર્ચન કરી અને આરાત્રિક ઉતારી સૌ ધર્મપતિએ ભાવભર્યા સ્વરે સ્તુતિ કરી.
શક્રેન્દ્ર સ્તુતિ કરી લીધા બાદ પ્રભુને લઈને સુયશા દેવીની પાસે આવી તેમના પડખામાં જેમ હતા તેમ પ્રભુને મૂક્યા. પછી નંદીશ્વર દ્વીપ શાશ્વત અહતની પ્રતિમાનો અઠ્ઠાઈ ઉત્સવ કરી, શક્ર તથા બીજા દ્રો પોતાપોતાના સ્થાને ગયા.
જ્યારે પ્રભુ માતા સુયશા રાણીના ગર્ભમાં હતા તે સમયે પિતા સિંહસેને શત્રુઓના અનંત બળને જીત્યું હતું, તેથી પ્રભુનું નામ અનંતજિત પાડ્યું.
વર્ષોનાં વર્ષો પસાર થવા લાગ્યાં.
અનુક્રમે અનંતજિતકુમાર બાલ્યવય પસાર કરીને યૌવનવયને પામ્યા. અનંતજિતકુમારની કાયા પયાશ ધનુષ્ય જેટલી ઊંચી હતી.
અનંતજિતકુમારે પિતાની આજ્ઞાથી સુંદર રાજકન્યા સાથે વિવાહ કયાં અને સાડા સાત લાખ વર્ષો વીત્યા પછી પિતાના આગ્રહથી અનંતજિતકુમારે રાજ્યનો કારભાર સંભાળ્યો.
અનંતનાથકુમારે પંદર લાખ વર્ષ સુધી રાજ્યનો કારભાર કરીને પૃથ્વીનું રક્ષણ કર્યું.
અને એક દિવસ અનંતનાથકુમારના હૈયામાં પ્રવજ્યા ગ્રહણ કરવાની ભાવના ઉત્કૃષ્ટ બની ત્યારે તત્કાળ લોકાંતિક દેવતાઓએ બહ્મલોકમાંથી આવીને કહે નાથ, તીર્થ પ્રવતવો ' એમ જણાવ્યું.
પછી ઇદ્રની આજ્ઞાથી કુબેરે પ્રેરેલા જંત્મક દેવતાઓએ પૂરેલા ધન વડે પ્રભુએ વાર્ષિક દાન આપ્યું.
એક વર્ષ પછી સૂર, અસુર રાજાઓ, દેવતાઓ વગેરે આવીને પ્રભુનો દીક્ષાભિષેકનો ઉત્સવ રચ્યો.
ત્યાર પછી અનંતનાથકુમાર વસ્ત્રાભૂષણો ધારણ કરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org