________________
૧૪
: શ્રી અનંતનાથ સ્વામી
અયોધ્યા નગરી.
મનોરમ્ય નગરી.
અયોધ્યા નગરીમાં સિંહસેન નામનો રાજા રાજ્ય કરે. મહારાજા સિંહસેન ધર્માનુરાગી દયાવાન અને બલિષ્ઠ હતો. તેની રાણી સુયશા સુશીલ, સંસ્કારી અને ગુણોથી ભરેલી હતી.
મહારાજા સિંહસેન અને રાણી સુયશાનું જીવન સુખેથી પસાર થતું હતું.
એક દિવસ પ્રાણત દેવલોકમાં પદ્મરથ રાજાના જીવે સુખમગ્ન થઈને પોતાનું ઉત્કૃષ્ટ સ્થિતિવાળું આયુષ્ય પૂર્ણ કર્યું. ત્યાંથી આવીને શ્રાવણ માસની કૃષ્ણ સપ્તમીએ ચંદ્ર રેવતી નક્ષત્રમાં આવતાં તે સુયશા રાણીના ઉદરમાં અવતર્યાં. તે વખતે મહારાણી સુયશાદેવીએ રાત્રીના અવશેષ કાળે અત્યંત જન્મને સૂચવનારા ચૌદ મહાસ્વપ્નો મુખ વાટે પ્રવેશતાં જોયાં.
પછી અનુક્રમે વૈશાખ માસની કૃષ્ણ ત્રયોદશીના દિવસે પુષ્ય નક્ષત્રમાં સુયાદેવીએ સીંચાણા (બાજ) પક્ષીના ચિહ્નવાળા સુવર્ણ વર્ણી પુત્રને જન્મ આપ્યો.
એ સમયે ર્ધ્વલોકમાંથી, અધોલોકમાંથી તથા રૂચક દ્વીપથી છપ્પન કિકુમારીઓએ આવીને પ્રભુનું તેમજ માતાનું સૂતિકાકર્મ કર્યું.
ત્યાર પછી તરત જ સૌધર્મ કલ્પનો ઇન્દ્ર ત્યાં આવ્યો અને પ્રભુને પ્રણામ કરીને, હાથમાં લઈને આકાશમાર્ગે મેરુ પર્વતના શિખર પર આવ્યો. ત્યાં અતિ પાંડુકબલા નામની શિલા ઉપર ઉત્સંગમાં પ્રભુને રાખી સિંહાસન પર તે બેઠો. પછી અચ્યુત વગેરે ત્રેસઠ ઈંદ્રો ત્યાં આવ્યા અને તીર્થજલ મંગાવીને અનુક્રમે પ્રભુને સ્નાન કરાવ્યું. ત્યારબાદ શક્રકે પ્રભુને ઈશાન ઇન્દ્રના ખોળામાં બેસાડ્યા અને પોતે સ્ફટિકના ચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org