________________
શ્રી વિમલનાથ સ્વામી
૧૧૩
મા
ધર્મચક્રી વિમલનાથે “તીર્થયનમઃ' એમ કહીને પૂર્વ દિશાની સન્મુખના સિંહાસનને અલંકૃત કર્યું.
- ત્યાર પછી સાધુઓ, સાધ્વીઓ, દેવતાઓ દેવીઓ, નરનારીઓ, તિર્યંચ જીવો વગેરે યથાયોગ્ય દ્વારેથી પ્રવેશીને પોતાના સ્થાને બેઠા. તે વખતે રાજપુરુષાએ સત્વર દ્વારકામાં જઈને પ્રભુના સમોસરણની વાત વાસુદેવને જણાવી. હર્ષ પામેલા વાસુદેવે પ્રભુના આગમનના સમાચાર આપનારા પુરુષોને ઉપહારમાં સાડાબાર કોટિ સૌનેયા આપ્યા. પછી વાસુદેવ તેમજ અન્ય અગ્રણીઓ સમોવસરણ પાસે આવીને પ્રવેશ કર્યો અને યોગ્ય સ્થાને બેઠા.
ઈન્દ્ર, વાસુદેવ તથા બલદેવે ભગવાનની સ્તુતિ કરી.
ત્યાર પછી શ્રી વિમલનાથ પ્રભુએ ધર્મદિશના આપી. પ્રભુએ વીતરાગનો માર્ગ સમજાવ્યો. સંસારનું સ્વરૂપ દર્શાવ્યું.
પ્રભુની દેશના સાંભળીને અનેક લોકોએ દીક્ષા લીધી. સ્વયંભૂ વાસુદેવ સમકિત પામ્યા. અને બલભદ્ર વકપણું અંગીકાર કર્યું.
જ્યારે પ્રથમ પોરષી પૂર્ણ થઈ ત્યારે પ્રભુ દેશનાથી વિરામ પામ્યા. પછી મંદર ગણધરે તેવી જ રીતે દેશના આપી. બીજી પોષી પૂર્ણ થઈ ત્યારે એમણે પણ દેશના પૂરી કરી.
ત્યા પછી સૌ પોતપોતાના સ્થાને જવા વિદાય થયા.
લોકો ઉપર અનુગ્રહ કરવાની ઈચ્છાથી વિમલનાથ પ્રભુએ પુર, ગ્રામ તેમજ અનેક વિસ્તારોમાં વિહાર કર્યો.
શ્રી વિમલનાથ સ્વામીને અડસઠ હજાર મહાત્મા સાધુઓ, એક લાખ અને આઠસો સાધ્વીજીઓ, અગ્યારસો ચૌદ પૂર્વધારી, ચાર હજાર અને આઠસો અવધિજ્ઞાની. પાંચ હજાર અને પાંચસો મનઃ પર્યવજ્ઞાની તેટલા જ કેવળજ્ઞાની, નવ હજાર વૈક્રિય લબ્ધિવાળા, બે લાખ ને આઠ હજાર શ્રાવકો તથા ચાર લાખને ચોત્રીસ હજાર શ્રાવિકાઓ આટલો પરિવાર કેવળજ્ઞાન પછી બે વર્ષે ઉણા પંદર લાખ વર્ષ સુધી પૃથ્વી પર વિહાર કરતાં થયો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org