________________
શ્રી વિમલનાથ સ્વામી
પામ્યા.
૧૧૧
સાઠ ધનુષ્ય ઊંચા લક્ષણોયુક્ત પ્રભુ યૌવનવયને પામ્યા.
સંસાર પ્રત્યે વૈરાગ્ય ભાવ હોવા છતાં માતા-પિતાના આગ્રહથી વિમલનાથ કુમારે રાજપુત્રીઓની સાથે વિવાહ કર્યા. કૌમારી વયમાં પંદર લાખ વર્ષ પસાર કર્યા પછી પિતાના આગ્રહથી વિમલનાથકુમારે રાજ્યનો કારભાર ગ્રહણ કર્યો. રાજ્યના કારભારને ચલાવતા પ્રભુને ત્રીશ લાખ વર્ષો પસાર થઈ
ગયાં.
અને એક હજાર અને આઠ
અને એક દિવસ પ્રભુને સંસાર પ્રત્યે વિક્તભાવ જાગ્યો અને દીક્ષા ગ્રહણ કરવાની કામના જાગી. ત્યારે સારસ્વત વગેરે લોકાંતિક દેવતાઓ શ્રી વિમલનાથ સ્વામી પાસે આવ્યા અને તીર્થ પ્રવર્તાવવાની વિનંતી કરી,
ત્યાર પછી જંભક દેવતાઓએ લાવેલા દ્રવ્ય વડે પ્રભુએ યાચકોને ઇચ્છા પ્રમાણે વાર્ષિક દાન આપ્યું.
દાનના અંતે સર્વ ઈન્દ્રોએ પ્રભુનો દીક્ષાભિષેકનો મહોત્સવ ધામધૂમથી ઉજવ્યો. ત્યાર પછી દિવ્ય વસ્ત્ર, અલંકાર તથા વિલેપન વડે યુક્ત થઈને શ્રી વિમલનાથ સ્વામી દેવત્તા નામની શિબિકા ઉપર આરૂઢ થયા. સુર, અસુર તથા મનુષ્યો વગેરે આ પ્રસંગે સામેલ થયા હતા અને શોભાયાત્રા સહસ્ત્રામ્રવનમાં આવી પહોંચી.
શ્રી. વિમલનાથસ્વામીએ સહસ્ત્રાપ્રવનમાં મંગલ પ્રવેશ
Jain Education International
કર્યો.
શ્રી વિમલનાથ સ્વામી. શિબિકા ઉપરથી ઊતરીને વસ્ત્રાભૂષણનો ત્યાગ કર્યો અને ઇન્દ્રે આપેલા દેવદૂષ્ય વસ્ત્રને સ્કંધ ઉપર ધારણ કરીને પ્રભુએ માધ માસની શુક્લ ચતુર્થીનો દિવસે એક હજાર રાજાઓની સાથે છઠ્ઠ તપનું આરાધન કરીને
For Private & Personal Use Only
www.jainelibrary.org