________________
૧૧૦
ચોવીશ તીર્થંકર
-
-
ત્યાર પછી શક્ર છે ત્યાં આવીને પ્રભુને મેરુ પર્વત ઉપર લઈ જઈને અતિ પાંડુકબલા નામની શિલા પરના સિંહાસન ઉપર પ્રભુને ખોળામાં લઈને બેઠો. એટલે અચુત વગેરે ત્રેસઠ ઈન્દોએ તીર્થજળ વડે એ તેરમા તીર્થંકરને અનુક્રમે સ્નાત્ર કર્યું. પછી પ્રભુને ઈશાન ઈદ્રના ઉસંગમાં બેસાડી શક્રઈન્દ્ર, પર્વતના શિખરોમાંથી નીકળેલા જાણે નિઝરણા હોય તેવા વૃષભના શૃંગમાંથી નીકળતા જલપ્રવાહ વડે સ્નાન કરાવ્યું. ત્યાર પછી ઇન્દ્ર પ્રભુના અંગનું દેવદૂષ્ય વડે માર્જન કર્યું. નંદનવનમાંથી લાવેલા ગોશીષ ચંદન વડે પ્રભુના શરીર ઉપર દેવદૂષ્ય વસ્ત્રનો ભ્રમ આપે એવું વિલેપન કર્યું. માળાઓથી અને દિવ્ય વસ્ત્ર અલંકારોથી પ્રભુનું અર્ચન કરી છેવટે આરતી ઉતારી શકઈદ્ર ભાવભરી સ્તુતિ કરવા માંડી.
- ઇન્દ્રની સ્તુતિમાં સંસારના જીવોને અંધકારમાંથી મુકત કરવાની અને મુક્તિનો માર્ગ દર્શાવવાની ભાવભરી વિનંતી હતી.
આ પ્રમાણે તેરમા તીર્થંકરની સ્તુતિ કરીને ઇન્દ્ર જેમ આવ્યો હતો તેમ પાછો શ્યામાદેવી પાસે જઈને પ્રભુને ત્યાં સ્થાપના કયા. પછી શુક્ર ઇન્દ્ર પ્રભુના વાસગ્રહથી અને બીજા ઇન્દ્રો પણ પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા.
પ્રાતઃકાળે પુત્રજન્મના સમાચાર મળતાં મહારાજા કતવમના હર્ષનો પાર ન રહ્યો. મહારાજા કૃતવમએ તરત જ નગરીમાં પુત્રજન્મની ખુશાલીમાં મહોત્સવ રચ્યો. નગરના અનેક લોકો વધાઈ આપવા રાજભવન ભણી આવતા હતા. ચારે તરફ આનંદ છવાયો હતો.
પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે તેમની માતા શ્યામાદેવી વિમલ નિર્મળ) થઈ ગયા હતા. તેથી પિતા કૃતવર્માએ પુત્રનું નામ વિમલ પાડ્યું.
દેવાંગનાઓએ ધાત્રી થઈને લાલનપાલન કરેલા અને દેવએ સમાનવના મિત્રો થઈને રમાડેલા એવા પ્રભુ અનુક્રમે વૃદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org