________________
૧૩
• શ્રી વિમલનાથ સ્વામી
કાંપિલ્યપુર નામનું નગર.
સુંદર અને દૈદિપ્યમાન નગરી. કલાત્મક અને ભવ્ય ઇમારતો, લોકોના નિવાસસ્થાનો નગરીને શોભાયમાન બનાવતા પરગામથી અનેક લોકો નગરીના દર્શનાર્થે આવતા હતા.
હતા.
સુંદર મજાની નગરી કાંપિલ્યપુરમાં કૃતવર્મા નામનો રાજા રાજ કરે. રાજા કૃતવર્માની કીર્તિ ચોમેર ફેલાયેલી હતી. ન્યાયી, ધર્મી અને દયાળુ હોવાથી રાજા કૃતવર્માને લોકો આદરથી જોતા હતા. પ્રજાના કોઈ પણ પ્રશ્નો હોય ત્યારે તેને યોગ્ય ન્યાય મળે તેમજ કોઈનામાં અસંતોષની જ્વાળા ન પ્રગટે તેની તકેદારી મહારાજા કૃતવર્મા રાખતા હતા.
આવા ન્યાયી અને ધર્મી રાજા કૃતવર્માને શ્યામા નામની પટ્ટરાણી હતી. અનિદ્ય રૂપના ભંડાર સમી રાણી શ્યામા સંસ્કારી, ગુણી અને સદાચારિણી હતી.
મહારાજા કૃતવર્મા અને મહારાણી શ્યામાના દિવસો સુખપૂર્વક પસાર થતાં હતાં.
એક વખતે સહસ્ત્રાર દેવલોકમાં પદ્મસેન રાજાના જીવે પોતાનું આયુષ્ય પૂર્ણ કર્યું અને વૈશાખ માસની શુકલ દ્વાદશીને દિવસે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં ત્યાંથી ચ્યવીને તે જીવ શ્યામાદેવીની કુક્ષિમાં આવીને અવતર્યો. શ્યામાદેવીએ તીર્થંકરના જન્મને સૂચવનારાં ચૌદ મહાસ્વપ્નો મુખમાં પ્રવેશ કરતાં જોયાં.
પૂર્ણ સમયે માઘ માસની શુકલ તૃતીયાની મધ્ય રાત્રીએ ઉત્તરા ભાદ્રપદનો ચંદ્ર થતાં સુવર્ણના જેવી કાંતિવાળા, ત્રણ જ્ઞાનને ધરનારા એક પુત્રને શ્યામાદેવીએ સુખે જન્મ આપ્યો. આસન કંપ થવાથી છપ્પન દિકુમારીઓ તત્કાળ ત્યાં આવી અને તેમણે પ્રભુ તથા પ્રભુની માતાનું સૂતિકાકર્મ કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org