________________
શ્રી વાસુપૂજ્ય સ્વામી
બીજોરૂં અને બાણને ધરનારો તથા વામભુજામાં નકુલ અને ધનુષ ધરનારો કુમાર નામનો યક્ષ શ્રી વાસુપૂજ્ય સ્વામીના શાસનનો અધિષ્ઠાયક દેવ થયો તેમજ શ્યામ વર્ણવાળી, અશ્વના વાહનવાળી, બે દક્ષિણ ભુજામાં વરદ અને શક્તિને ધરનારી તથા બે વામભુજામાં પુષ્પ અને ગદાને રાખનારી ચંદ્રા નામે નિરંતર પ્રભુની પાસે રહેનારી શાસનદેવી થઈ.
તે બન્ને શાસનદેવતાઓથી યુક્ત એવા શ્રી વાસુપૂજ્ય સ્વામી વિહાર કરતાં કરતાં એક વા૨ દ્વારકાની સમીપની ભૂમિએ આવીને સમવસર્યા. ત્યાં ઇંદ્રાદિક દેવોએ આઠસોને ચાલીશ ધનુષ ઊંચું જેમાં અશોક વૃક્ષ છે એવું સમવસરણની રચના કરી. શ્રી વાસુપૂજ્ય સ્વામીએ તેમાં પ્રવેશ કરીને અશોક વૃક્ષને પ્રદક્ષિણા દઈને તીર્થાય નમઃ એમ બોલીને પ્રભુ પૂર્વાભિમુખે સિંહાસન પર આરૂઢ થયા. પ્રભુના પ્રભાવથી જ બીજી દિશાઓમાં પ્રભુના જેવા જ તેમના પ્રતિબિંબ દેવતાઓએ વિધુર્યાં. ત્યાર પછી દેવ, સુર-અસુર મનુષ્ય તથા તિર્યંચ વગેરે યોગ્ય સ્થાને બેઠા. ઇન્દ્રે સ્તુતિ કરી. ત્યાર પછી શ્રી વાસુપૂજ્ય સ્વામીએ ધર્મદેશના આપી.
શ્રી વાસુપૂજ્ય સ્વામીની દેશના સાંભળીને અનેક લોકોએ દીક્ષા અંગીકાર કરી. એ વખતે સુક્ષ્મ ગણધરે બીજી પો૨ષી સુધી દેશના આપી. ત્યાંથી શ્રી વાસુપૂજ્ય સ્વામીએ અન્યત્ર વિહાર કર્યો.
૧૦૭
શ્રી વાસુપૂજ્ય સ્વામીને બોંતેર હજાર મહાત્મા સાધુઓ, સંયમની શોભાને ધરનારી એક લાખ સાધ્વીઓ, એક હજાર અને બસો ચૌદ પૂર્વધારી, પાંચ હજાર અને ચારસો અધિજ્ઞાની, છે હજાર અને એકસો મનઃપર્યવજ્ઞાની, છ હજાર કેવળજ્ઞાની, દશ હજાર વૈક્રિય લબ્ધિવાળા, ચાર હજાર ને સાતસો વાદ લબ્ધિવાળા, બે લાખ ને પંદર હજાર શ્રાવકો અને ચાર લાખ ને છવ્વીસ હજાર, શ્રાવિકાઓ આ પ્રમાણે એક માસે ઉણા ચોપન લાખ વર્ષો સુધી કેવળજ્ઞાન પામ્યા પછી વિહાર કરતા આટલો પરિવાર થયો હતો.
ત્યાર પછી શ્રી વાસુપૂજ્ય સ્વામીને પોતાનો મોક્ષકાળ નજીક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org