________________
૧૦૬
સ્વામી સિંહાસન પર બિરાજ્યા.
દેવ, દેવતાઓ, સુર, અસુરો તથા મનુષ્યોની સાથે શ્રી વાસુપૂજ્ય સ્વામી વાજતે ગાજતે વિહારગ્રહ નામના ઉત્તમ વનમાં આવ્યા. શિબિકા ઉપરથી નીચે ઊતરીને પ્રભુએ વસ્ત્રાભૂષણોનો ત્યાગ કર્યો. પછી સંધભાગ ઉપર ઈંદ્રે મૂકેલાં દેવદૂષ્ય વસ્ત્રને વહન કરતાં એવા પ્રભુએ ચતુર્થ તપ કરીને પંચમુષ્ટિ લોચપૂર્વક ફાગણ માસની અમાવસ્યાના દિવસે વરૂણ નક્ષત્રમાં દિવસના અપાન કાળે છસો રાજાઓની સાથે દીક્ષા ગ્રહણ કરી.
બાદ
દીક્ષા મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ ગયા દેવતાઓ, સુર, અસુરો તથા મનુષ્યો પોતપોતાના સ્થાને ગયા.
ચોવીશ તીર્થંકર
બીજા દિવસે મહાપુર નગરમાં સુનંદ રાજાના ઘેર શ્રી વાસુપૂજ્ય સ્વામીએ પરમ અન્નથી પારણું કર્યું. તે વખતે દેવતાઓએ વસુધારાધિક પાંચ દિવ્ય પ્રગટ કર્યાં અને રાજા સુનંદે પ્રભુના ચરણને સ્થાને એક રત્નમય પીઠ રચાવી.
ત્યાંથી શ્રી વાસુપૂજ્ય સ્વામી ગામ, નગરોમાં વિહાર
કરવા લાગ્યા.
તે સમયે એક માસ છદ્મસ્થપણામાં વિહાર કરીને શ્રી વાસુપૂજ્ય સ્વામી વિહારગૃહ નામના ઉદ્યાનમાં આવ્યા, જ્યાં દીક્ષા લીધી હતી. તેજ ઉદ્યાનમાં આવ્યા. ત્યાં પાટલ (ગુલાબ)ના વૃક્ષ નીચે રહેલા પ્રભુને શુકલ ધ્યાનને બીજે પાયે વર્તતા. પ્રાતઃકાળે ઘાતિકર્મ નાશ પામ્યા. માઘ માસની શુકલ દ્વિતિયાને દિવસે ચંદ્ર શતભિષા નક્ષત્રમાં આવતાં ચતુર્થ તપવાળા પ્રભુને કેવળજ્ઞાન ઉપલબ્ધ થયું. દેવોએ ત્યાં આવીને સમવસરણ રચ્યું. એ દિવ્ય સમવસરણમાં બિરાજીને પ્રભુએ દેશના આપી.
શ્રી વાસુપૂજ્ય સ્વામીને સૂક્ષ્મ વગેરે છાસઠ ગણધરો થયા બીજી પોરષીએ મુખ્ય ગણધરે પાદપીઠ પર બેસીને દેશના આપી.
તેમના તીર્થમાં હંસના વાહનવાળો શ્વેતવર્ણી બે દક્ષિણ ભુજામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org