________________
૧૦૪
ચોવીશ તીર્થકર
પ્રભુનું પ્રતિબિંબ લઈ શકઈદ્ર સ્વર્ગમાં ગયો અને બીજા ઈદ્રો સ્વસ્થાને વિદાય થયા.
બીજે દિવસે રાજભવનમાં જયાદેવીએ પુત્રને જન્મ આપ્યો છે તે જાણીને રાજા વસુપૂજ્ય અતિ આનંદિત થયો અને નગરમાં પુત્રજન્મની ખુશાલીમાં મહોત્સવ રચ્યો.
રાજા વસુપૂજ્ય તથા રાણી જયાદેવીએ શુભ દિવસે પ્રભુનું નામ વાસુપૂજ્ય રાખ્યું.
વાસુપૂજ્ય કુમારે ક્રીડા અને વિવિધ રમતોમાં શિશુકાળ પસાર કર્યો અને યૌવન વયમાં પ્રવેશ કર્યો.
સીત્તેર ધનુષ ઊંચા અને સર્વ લક્ષણોથી યુક્ત એવા પ્રભુ વાસુપૂજ્ય કુમાર મૃગાક્ષીઓના મનને હરનારું યૌવનવય પામ્યા.
એક દિવસે સંસારસુખથી વિમુખ જણાતા વાસુપૂજ્ય કુમારને તેમનાં માતાપિતાએ વાત્સલ્યભાવથી જણાવ્યું કે અનેક રાજ્યોની રાજકન્યાઓનાં માતાપિતાઓ નમ્રભાવે પ્રાર્થના કરે છે કે અમારી કન્યાઓને આપના કુમાર સાથે પરણાવો, અમે એમની વિનંતીને ઠુકરાવી શકતા નથી. કુળક્રમથી આવેલા આ રાજ્યને ગ્રહણ કરી અમે હવે વૃદ્ધાવસ્થામાં વ્રતગ્રહણ કરીશું.
ત્યારે વાસુપૂજ્ય કુમારે આછા હાસ્ય સાથે ઉત્તર આપ્યો : પિતાજી. આપનો વાત્સલ્ય ભાવ યોગ્ય છે પરંતુ સંસારચક્રથી હું શ્રમિત થઈ ગયો છું. મને રાજકન્યાઓ સાથે વિવાહ કરવાની તેમજ રાજ્ય સંભાળવાની લગીરે ઈચ્છા નથી. જો તમારે મારો ઉત્સવ જોવો હોય તો દીક્ષા, કેવળજ્ઞાન અને નિવણ સમયના મહોત્સવો જન્મસમયની જેમ આપને તથા જગતને જોવા યોગ્ય
થશે.”
ત્યારે વસુપૂજ્ય રાજાએ વાસુપૂજ્યકુમારને આગળના તીર્થકરોએ પણ વિવાહ કર્યા હતા અને રાજ્યનો દોરી સંચાર કર્યો હતો તે વાત જણાવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org