________________
શ્રી વાસુપૂજ્ય સ્વામી
૧૦૩
અનુક્રમે દિવસો પસાર થતાં ફાલ્ગન માસની કૃષ્ણ ચતુર્દશીને વરૂણ નક્ષત્રમાં રાતા વર્ણવાળા અને મહિષ (પાડા)ના લાંછનવાળા એક પુત્રને જન્મ આપ્યો.
આસન કંપવાથી છપ્પન દિકુકમારીઓએ પ્રભુના જન્મને જાણીને ત્યાં આવી અને માતા તથા પ્રભુનું સૂતિકાકર્મ કર્યું.
ત્યારબાદ શક્રઈન્દ્ર પોતાના પરિવાર સાથે ત્યાં આવ્યો અને પ્રભુના સૂતિકા ગૃહની પ્રદક્ષિણા કરી પછી તેમાં પ્રવેશ કરી, રાણી જયાદેવીને અવસ્થાપિની નિદ્રા મૂકી તેમની પડખે પ્રભુના પ્રતિબિંબ ને સ્થાપન કરી, પછી પોતે પાંચ રૂપ કર્યો. એક રૂપે પ્રભુને ગ્રહણ કર્યા. બીજા રૂપે છત્ર ધારણ કર્યું, બે રૂપે બે બાજુ ચામર વીંઝવા લાગ્યા. અને એક રૂપે વજ લઈને આગળ ચાલ્યા.
ઇન્દ્ર તરત જ પ્રભુને લઈને સુમેરુ પર્વત પર આવ્યો. ત્યાં અતિ પાંડુકબલા નામની શિલા ઉપર રહેલા સિંહાસન ઉપર પ્રભુને ખોળામાં લઈને શક્રેન્દ્ર બેઠા.
તે અવસરે અચ્યતેંદ્ર વગેરે ત્રેસઠ ઇન્દ્રોઓ તીર્થના જળથી ભરેલા કુંભોવડે પ્રભુને અભિષેક કર્યો.
- ત્યારબાદ ઈશાન કલ્પના અધિપતિના ઉસંગમાં પ્રભુને સ્થાપીને શક્રઈન્દ્ર ચાર વૃષભ વિકવ્ય, પછી તે વૃષભના શૃંગમાંથી નીકળતા જળ વડે પ્રભુને સ્નાન કરાવ્યું ત્યારબાદ શક્રેન્દ્ર ચાર વૃષભોને અંતહિત કરી પ્રભુના અંગને લુછી ગોશીષચંદનથી વિલેપન કર્યું અને દિવ્ય વસ્ત્રો, આભૂષણો અને પુષ્પોથી પ્રભુનું અર્ચન કરીને આરતી ઉતારી. ત્યારપછી શક્રઈન્દ્ર પ્રભુની સ્તુતિ કરવા માંડી.
શક્રેન્દ્ર ભક્તિ ભાવથી સ્તુતિ કરી, સ્તુતિ પૂરી થયા પછી પ્રભુને લઈને શક્રઈન્દ્ર રાજભવનમાં આવ્યો અને રાણી જયાદેવીના પડખે પ્રભુને સ્થાપીને વંદન કર્યા. ત્યારપછી જયાદેવી પર મૂકેલી અવસ્થાપિની નિદ્રા, હરી લીધી. તેમના પડખામાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org