________________
ૐ શ્રી વાસુપૂજ્ય સ્વામી
યશગાથા
અનુપમ આભાથી શોભતી ચંપાનગરીની સર્વત્ર પ્રસરેલી હતી. નગરીના સુઘડ અને વ્યવસ્થિત રાજમાર્ગો, બજારો તથા ભવનોની ઝાકઝમાળ અદ્ભુત હતી.
૧૨
ચંપાનગરીની પ્રજા પણ સુખી, સમૃદ્ધ અને સંતોષી હતી. મહારાજા વસુપૂજ્યનાં, રાજ્ય સંચાલનથી લોકો અત્યંત પ્રભાવિત હતા. રાજા વસુપૂજ્ય ન્યાયી, પરાક્રમી અને પ્રજાવત્સલ રાજવી હતો.
મહારાજા વસુપૂજ્યના શાસનમાં ચોરી, લૂંટફાટ કે અન્ય કોઈ અઘિટત બનાવો બનતા જ નહોતા. રાજા પોતે અવારનવાર નગરીમાં ગુપ્ત વેશે ફરીને લોકોના પ્રતિભાવ જાણતો હતો.
મહારાજા વસુપૂજ્યને જયાદેવી નામની પટ્ટરાણી હતી. યાદેવી શાંત અને નિર્મળ સ્વભાવ ધરાવનારી હતી. સુશીલ અને સંસ્કારના ગુણો તેનામાં હતા.
મહારાજા વસુપૂજ્ય અને યાદેવીનું સહજીવન સુખેથી પસાર થઈ રહ્યું હતું.
એક દિવસ પ્રાણત દેવલોકમાં રહેલા પહ્યોત્તર રાજાના જીવે ઉત્કૃષ્ટ સુખમાં મગ્ન થઈને પોતાનું આયુષ્ય પૂર્ણ કર્યું. પછી જ્યેષ્ઠ માસની શુકલ નવમીના દિવસે શતભિષા નક્ષત્ર ચંદ્ર સાથે યોગ થતા ત્યાંથી ચ્યવીને તે જયાદેવીની કુક્ષિમાં અવતર્યો.
તે સમયે ખૂબ જ શાંતિથી અને સુખેથી નિદ્રા માણી રહેલા મહાદેવી જયાદેવીએ તીર્થંકરનાં જન્મને સૂચવનારા ચૌદ
મહાસ્વપ્નો જોયા.
અભ્રની રેખા ચંદ્રને અને પર્વતની ગુફા સિંહને જેમ ધારણ કરે તેમ યાદેવીએ અત્યુત્તમ ગર્ભને ધારણ કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org