________________
શ્રી શ્રેયાંસનાથ સ્વામી
૧૦૧
અંકુશ રાખનારી માનવી (શ્રીવત્સા) નામે પ્રભુની પાસે રહેનારી શાસનદેવી થઈ.
કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી બે માસ ઉણા એકવીશ લાખ વર્ષ સુધી વિહાર કરતા શ્રી શ્રેયાંસ પ્રભુને ચોરાશી હજાર મહાત્મા- સાધુઓ, એક લાખ ને ત્રણ હજાર સાધ્વીઓ, તેરસો ચૌદ પૂર્વધારી, છ અવધિજ્ઞાની, છ હજાર મનપર્યવજ્ઞાનીઓ, સાડા છ હજાર કેવળજ્ઞાનીઓ, અગિયાર હજાર વૈક્રિય લબ્ધિવાળા, પાંચ હજાર વાદલબ્ધિવાળા, બે લાખ અને ઓગણએંશી હજાર શ્રાવક તથા ચાર લાખ અને અડતાલીશ હજાર શ્રાવિકાઓનો પરિવાર થયો.
શ્રી શ્રેયાંસનાથ સ્વામીને પોતાનો મોક્ષકાળ નજીક આવેલો જાણીને તેઓ એક હજાર મુનિવરો સાથે સમેતશિખર પર્વત પર આવ્યા.
શ્રી શ્રેયાંસનાથ પ્રભુએ એક હજાર મુનિવરો સાથે અનસનવ્રત ગ્રહણ કર્યું. એક માસના અંતે શૈલેષી ધ્યાને રહીને શ્રાવણ માસની કૃષ્ણ તૃતીયાના દિવસે ચંદ્ર ઘનિષ્ટાનક્ષત્રમાં આવતાં હજાર મુનિઓની સાથે શ્રી શ્રેયાંસનાથ પ્રભુ અનંત દર્શન, જ્ઞાન વીર્ય અને આનંદમય સ્વરૂપવાળા પરમપદને પ્રાપ્ત થયા.
શ્રી શ્રેયાંસનાથ સ્વામીએ કૌમાર વયમાં એકવીશ લાખ વર્ષ પસાર કર્યો. રાજ્યનો કારભાર ચલાવવામાં બેંતાલીસ લાખ અને દીક્ષા પાલનમાં એકવીશ લાખ એમ બધા મળી ચોરાશી લાખ વર્ષનું પ્રભુનું આયુષ્ય હતું.
શ્રી શીતલનાથ પ્રભુના મોક્ષકાળ પછી છાસઠ લાખ અને છત્રીસ હજાર વર્ષ તથા સો સાગરોપમે ઉણા એક કોટિ સાગરોપમ ગયા ત્યારે શ્રી શ્રેયાંસનાથ સ્વામીનો નિવણ કાળા મહોત્સવ થયો હતો. તે નિર્વાણ કલ્યાણકનો મહોત્સવ દેવતાઓ તથા ઈદ્રોએ સાથે રહીને કર્યો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org