SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ તીથ "કરાની મૂર્તિઓ તીર્થંકરના માતા મહાદેવીએ નંદ્યાવના લાંછનવાળા અને સ લક્ષણાએ પૂર્ણ એવા એક કનકવણી પુત્રને જન્મ આપ્યા, તેનું ‘અર’ એવું નામ પાડવામાં આવ્યું. કારણ તેની માતાએ સ્વપ્નમાં રત્નાનું ચક્ર (અર) જોયું હતું. અરનાથના પિતા ચંદ્રવંશી ક્ષત્રિય રાજકુમાર હતા અને તે સુદર્શન નામે જાણીતા હતા. જિનની માતાનું નામ મિત્રસેના. તેમની રાજધાની હસ્તિનાપુર હતી. હસ્તિનાપુરમાં અરનાથને જન્મ થયા હતા. આ જિન પણ ચક્રવતી થયા હતા. તેમનું પ્રતીક નન્દાવત" કે મીન છે. બંને ચિહ્નો અષ્ટમંગલમાં ગણાય છે. 33 ૧૯. મલ્લિનાથ : ઓગણીસમા તી કર મલ્લિનાથનું પ્રતીક જૈન ગ્રંથા કુંભ (ઘટ) આપે છે. આ ચિહ્ન તેમના આગલા તીર્થંકરો અને તેમના પછીના તીર્થંકરાથી તેમને જુદા પાડે છે. તેમનાં યક્ષ-યક્ષિણીએ અર્થાત્ શાસનદેવતા કુબેર અને ધરણુપ્રિયા (દિગમ્બર પ્રમાણે અપરાજિતા) છે તેમની બાજુએ ચામરધારી તરીકે રાજા સુલુમ છે તેમનું કૈવલજ્ઞાનનું વૃક્ષ અશેાક છે. મલ્લિનાથની પ્રતિમાઓ તથા મંદિરી ઠીક ઠીક પ્રમાણમાં મળી આવે છે. આ પ્રતિમાઓમાં મૂર્તિ શાસ્ત્ર પ્રમાણેના લક્ષણા જણાય છે. તેમનું લાંછન ભદ્રપીઠ ઉપર બતાવેલુ. હાય અને શાસનદેવતા મૂર્તિના છેવટના ખૂણામાં હાય છે. તેના પિતા બંગમંગાળ દેશના મિથિલાના રાજ કુંભ નામે હતા અને તે ઈક્ષ્વાકુ વંશના હતા. તેમની રાણીનું નામ પ્રભાવતી હતું. શ્વેતામ્બર સંપ્રદાય પ્રમાણે મલ્લિનાથ સ્ત્રી હતા. પરંતુ શિલ્પ જોતાં અને નામને અંતે ‘નાથ’ જોડાયેલું હાઈને આ સંપ્રદાયની સ્ત્રી તરીકેની માન્યતા બધખેસતી આવતી નથી, ઉપરાંત વધુમાં મૂર્તિ ઉપર સ્ત્રીના કાઈપણ જાતના ચિહ્ન જણાતા નથી. આ જિનનું નામ મલિ પાડવામાં આવ્યું કારણ કે જ્યારે બાળક ગર્ભમાં હતું ત્યારે તેની માતાને મલ્ટિફૂલની સુગંધીત શય્યા ઉપર શયન કરવાના દેાહદ થયા હતા. તેમનું લાંછન ઘટ છે તે કદાચ જિનની માતાનું નવમું સ્વપ્ન છે. ઘટ અષ્ટમોંગલ ચિહ્નોમાંનું એક છે, ૨૦. સુનિસુવ્રત: જૈન ગ્રંથા પ્રમાણે આ વીસમા તીથ કરનું પ્રતીક ફૂ જાય છે. યક્ષ વણુ અને ક્ષિણી નરદત્તા (દિગમ્બર પ્રમાણે બહુરૂપિણી) છે. જે રાજા જિનના ચામરધારીની સેવા બજાવે છે તે રાજ અજિત છે. જે વૃક્ષ નીચે કૈવલજ્ઞાન થયું તે પવિત્ર વૃક્ષ ચંપક છે. જિનના પિતા મગધના રાજા સુમિત્ર અને તેના માતા સામા–કેટલાક ગ્રથાને આધારે પદ્માવતી છે. તેના વંશ રિવંશ ગણાય છે અને તેની રાજધાનીં રાજગૃહ છે. તેમની માતાએ મુનિની જેમ વ્રતા (સુત્રતા) ધારણ કર્યા હતા તેથી પિતાએ તેમનું નામ સુત્રત પાડયું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005242
Book TitleJain Moorti Vidhan
Original Sutra AuthorN/A
AuthorPriyabala Shah
PublisherUniversity Granth Nirman Board
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy