SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમૂતિ વિધાન મૂર્તિના પગની નીચે દાતાની મૂર્તિ છે. ઉત્તરભારતમાં ઘણે સ્થળેથી સુમતિનાથની મૂર્તિ મળી આવી છે. ૧૪ સુમતિનાથનું જન્મસ્થળ અને તેમના માતાપિતાની વિગતા જૈન પરંપરાગત ઇતિહાસમાં બતાવેલી છે. તેમનુ' જન્મસ્થળ અયોધ્યા (સાત) હતું. આ નગરીમાં ઇક્ષ્વાકુ વશમાં તિલકરૂપ રાજા નામે મેઘરથ તેમના પિતા અને માતાનું નામ મંગલા હતું. તેમણે કેવી રીતે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને કઈ પાલખીમાં તેમને લઈ જવાતા તે તમામ વિગતા ઉત્તરપુરાણમાંથી મળી આવે છે. ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર પ` ૩ –સ` ૩ પ્રમાણે અભયંકર! નામની શિખિકા ઉપર આરૂઢ થઈને સૂર, અસૂર અને મનુષ્યોની સાથે સહસ્રામ્રવનમાં પ્રભુ પધાર્યા. દરેક તીથ કર શા માટે તે નામથી ઓળખાય છે તે દરેકની જુદી જુદી કથાઓ આપેલી છે. તે પ્રમાણે આ બાળકે સુમતિનાથના જન્મ પહેલાં તેના માતાની સુમતિ (બુદ્ધિ) ખૂબ તીક્ષ્ણ હતી. રાણીની તેજસ્વિતા સાબિત કરવા માટે બીજી કથા સાલેમનન ન્યાયને મળતી પ્રચલિત છે. એક વૃધ્ધ બ્રાહ્મણ મૃત્યુ પામ્યા ત્યારે તેને બે પત્ની હતી, બંને વચ્ચે એકજ પુત્ર હતા. તે પુત્ર કેને તે ઝગડા પતાવવા તેઓ રાણી પાસે ગઈ તેણે સેલેામનની જેમજ હુકમનામું ફરમાવ્યું કે મારા ઉદરમાં ત્રણ જ્ઞાનને ધારણ કરનાર તીર્થંકર ઉત્પન્ન થયેલા છે. તેમના જન્મ થાય તે પછી અશોકવૃક્ષ નીચે બેસીને તે તમારા વિવાદના નિÖય કરશે પુત્રની ખરી માતા કાળક્ષેપ સહન કરી શકી નહી. તેથી ધાર્યું. પરિણામ આવ્યું. જિનનું લાંછન હંસ છે જે સત્સ્વતી બુદ્ધિની દેવીનુ પણ પ્રતીક છે. તીર્થંકરના જીવનની પાછળ “સુમતિ” સારી બુદ્ધિના મધ્યવતી વિચાર રજૂ થાય છે. કેટલાક તો કાના નામ માટે વાસ્તવિક ચીજોને પ્રતીક તરીકે મૂકવામાં આવે છે, જેમકે તીર્થંકર ચંદ્રપ્રભનું પ્રતીક ચંદ્ર બીજના આકારનેા ચંદ્ર હાય છે . (ચ ંદ્રપ્રભ એટલે ચંદ્રની પ્રભા જેવું). ૬. પદ્મપ્રભ્ર ઃ જૈન ગ્રંથે! છઠ્ઠા તીર્થંકર પદ્મપ્રભનુ મૂતિશાસ્ત્રના ચિહ્નન તરીકે રાતું કમળ જણાવે છે. તેમના કેવળજ્ઞાન માટેનું વૃક્ષ છત્રાભ છે. તેમના યક્ષ કુસુમ અને શાસનદેવી સ્યામા છે. દિગમ્બર પ્રમાણે નેવેગા છે. તેમના ચામરધારી તેમના સમકાલીન રાજા યમદ્યુતિ છે. સાહિત્ય અને શિલ્પમાં સરખી વિગતા મળે છે પદ્મપ્રભુની સ ંખ્યાબંધ પ્રાચીન અર્વાચીન પ્રતિમ આ મળી આવે છે. મૂર્તિવિધાનની દૃષ્ટિએ જોઈએ તા ઉપરના વર્ણન પ્રમાણે મૂતિઓનું વર્ણન મળતુ આવે છે. તેમાં સિહાસન બતાવતા તેમના ભદ્રપીઠ નીચે બે સિહે છે. જૈનપુરાણો પ્રમાણે તેમનું જન્મસ્થાન કૌશામ્બી છે. તેના પિતાનું નામ ધરણુ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005242
Book TitleJain Moorti Vidhan
Original Sutra AuthorN/A
AuthorPriyabala Shah
PublisherUniversity Granth Nirman Board
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy