SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ તીથ કરાની મૂર્તિ એ વળી જિનેશ્વરના આઠ પ્રતિહાર્યું જેમાં અશોકવૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, ચામર, આસન, ભામંડલ, દુંદુભિ અને છત્ર હેાય છે. જ્યારે તીથંકરની સ્વતંત્ર મૂર્તિ હોય છે ત્યારે તેની પલાંઠીની નીચે દરેક તીથંકરની નીચે દરેક તીર્થંકરના જુદા જુદા લાંછના એટલે કે ચિહ્નો હાય છે, જેથી મૂર્તિને ઓળખવામાં મુશ્કેલી આવતી નથી. છઠ્ઠા સૈકામાં થઈ ગયેલા પ્રસિદ્ધ જ્યાતિષાચાર્ય વરાહમિહિર બૃહત્સંહિતામાં જિનમૂર્તિના લક્ષણ આપે છે કે “અતાના દેવની મૂર્તિ શાન્ત ભાવયુક્ત કરવી, તેના બાજુ જાનુ સુધી પહેાંચતા હાય અને વક્ષઃસ્થલ ઉપર શ્રીવત્સનું ચિહ્ન અંકિત હાય. દેખાવમાં તરૂણ અને રૂપવાન મૂર્તિ હાવી જોઈએ તે નિર્વસ્ત્ર હાય છે.’’ આ વન અનેક કારણેાસર મહત્ત્વનું છે. સૌ પ્રથમ એ કે વરાહમિહિરના સમયનું એટલે કે છઠ્ઠા સૈકાની જિનમૂર્તિનું આ સામાન્ય વન છે. આજાનુબાહુ વિશેષણ ઉપરથી આ કાયાત્સ` મૂર્તિનું વર્ણન જણાય છે એમ સ્પષ્ટ થાય છે. મૂર્તિને વસ્ત્ર નથી તે ઉપરથી તે દિગમ્બર સંપ્રદાયની મૂર્તિનું વર્ણન છે એમ અનુમાન કરવાનું મન થાય છે, પણ શ્વેતાંબર મૂર્તિમાં માત્ર કૌપીન જેવું કાતરેલું હેાય છે. બુદ્ધની પેઠે આખા શરીરે વસ્ત્ર નથી હાતુ. ટ્રકમાં તીર્થંકરાની મૂર્તિના ત્રણ પ્રકારે જણાવવામાં આવ્યા છે ઃ (૧) સુંદર દેવદેવીઓને કાતરેલા પરિકરવાળી (૨) સાદી ફક્ત પૂજા માટેની (૩) આયાગપટ્ટીમાંની. આ ત્રણેમાં જિન ભગવાનનું કલાવિધાન એક સરખું જ હાય છે. ફ્ક્ત પરિકરે અને આજુબાજુના શિામાં જ સામાન્ય ફેરફાર જણાય છે. જૈન પુરાણા કે જૈન ધર્મગ્રંથેામાં તી કરની મૂર્તિ બનાવવા વિશે ઝાઝી માહિતી ઉપલબ્ધ થતી નથી. તેવી જ રીતે જૈન શિલ્પત્રથામાં માહિતીને અભાવ હેાય છે. ઊલટું આ બધા ગ્રંથે તીર્થં‘કરના આરાધકાની મૂર્તિઓ તેમજ બીજા દેવાની મૂર્તિ કેમ કરવી તેનું વિગતે વર્ણન આપે છે. તેને આધારે જુદા જુદા તી કરાની મૂર્તિએ કેમ કરવી તે જોઈએ : (૧) આદિનાથ અથવા ઋષભનાથ : જિનના લાંછના કે પ્રતી! પ્રવચનસારાહારમાં આપેલા છે તેમાં જણાવેલું છે કે પહેલા તીર્થંકરનું ચિહ્ન વૃષભ છે. વૃષભના લાંછન ઉપરાંત તેમનુ બીજુ` ચિહ્ન ધર્મચક્ર છે. બધા તીર્થંકરાને અમુક અમુક વૃક્ષ નીચે કેવળજ્ઞાન પ્રાપ્ત થયેલુ છે. પ્રથમ તીર્થંકરની સાથે જૈ. ૩ આજ્ઞાનુજમ્યવાદુ: શ્રીવત્સારૢ: પ્રશાન્તમૂર્તિશ્ર । વિવાસાસ્તફળો વાંધ ાડતાં તેવઃ || ૬૭ (અ. ૪、.) ૪ ' ૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005242
Book TitleJain Moorti Vidhan
Original Sutra AuthorN/A
AuthorPriyabala Shah
PublisherUniversity Granth Nirman Board
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy