SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમૂર્તિવિધાન પ્રત્યેક ગઢમાં દેવવાહન, પરસ્પર વિરોધી જીવા કે દેવ, મનુષ્ય, સાધુ-સાધ્વી આદિ સ્વરૂપે કાતરવામાં આવે છે, અથવા કાઈ સાદા પણુ રાખે છે, સમવસરણમાં ચાર પ્રતિમા પધરાવવામાં આવે છે, મેટે ભાગે તે શાશ્વતજિન પ્રભુ ૧. ઋષભદેવ, ૨. ચંદ્રાનન, ૩. વારિક્ષણ અને ૪. વમાન વિશેષ કરીને હેાય છે. તે પ્રત્યેકને ફરતાં ચાર પરિકરા પણ કાઈ કરાવે છે તેથી વિશેષ ચામુખને ચાર થાંભલી મુકી તે પર શિખર કે છત્રી કરે છે પરિકરા કે છત્રી કરેલી ન હેાય તા તેમાં દોષ થતા નથી. કેટલાંક પરિકર કે છત્રી વગરના પણુ સમવસર હેય છે. ૩૬ સમવસરણુ નાના સ્વરૂપે થાય છે. વિશેષ ભાવથી કરે તા તે ત્રણે ગઢા પર પગથિયા ચડીને જવાય તેટલુ મેાટું સમવસરણ પણ કરાવે છે. ઉપરના ગઢના મધ્યમાં અશેકવૃક્ષ એક યેાજન વિસ્તારનુ હાય છે. તેની નીચે પીઠિકારૂપ સિ’હા સના ચારે તરફ કરવામાં આવે છે અને ત્રણ ત્રો ચારે તરફ પ્રભુ પર રાખવામાં આવે છે. ચારે તરફના સિંહાસન પર અર્હત પ્રભુ બિરાજે છે. પ્રભુની બંને તરફ્ યક્ષક્ષિણી મણિજડિત-ચામર ઢાળી રહ્યા હોય છે. ત્રણે ગઢના પ્રત્યેક દ્વાર આગળ જળપૂ વાવડીએ એકક ગઢે આઠ આઠ કરવામાં આવે છે. દ્વારા પર રત્નજિત અષ્ટમીંગળ અતિ કરવામાં આવે છે. પ્રથમ રૂપાના નીચેના ગઢના ચારે દ્વારના પ્રતિહારા ૧. તુંબરૂ, ૨. કપાલી, ૩. ખાંગી, ૪. જટામુકુટધારી એમ ચાર હેાય છે. ખીજા ગઢમાં પૂર્વાદિ ચાર કારની દેવી પ્રતિહારી ૧. જયા, ૨. વિજયા, ૩. અજિતા, ૪. અપરાજિતા એ ચાર દેવીએ જણાય છે. તેની ચારે ભુજમાં અભય, પાશ, અંકુશ અને મુકુર ધારણ કરે છે તેના વર્ણ અનુક્રમે સફેદ, લાલ, સેાનવણું અને નીલ છે. ઉપરના ખીન્દ્રગઢના ચારે દ્વારે બે બે પ્રતિહારા અનુક્રમે પૂર્વે ઈન્દ્ર અને ઈંદ્રજય, દક્ષિણે મહેદ્ર ને વિજય, પશ્ચિમે ધરણેન્દ્ર ને પદ્મક અને ઉત્તરના દ્વાર સુનાભ અને સુરદુદુભિ ઉભેલા કરવામાં આવે છે. આ આઠે પ્રતિહાર વીતરાગના છે, તેના ચાર હાથમાં આ પ્રમાણે આયુધે છે ઈન્દ્રના હાથમાં ફળ, વજ્ર, અંકુશ અને દંડ; ઈન્દ્રજયના હાથમાં દંડ, અંકુશ, વજ્ર અને ફળ; ધરણેન્દ્રના હાથમાં વ, અભય, સ` અને દંડ, યક્ષના હાથમાં દંડ, સર્પી, અભય અને વ; સુનાભના હાથમાં ફળ, ખેહાથમાં દ્રવ્યની વાંસળી અને દડ; સુરદુંદુભિના હાથમાં દંડ, બે હાથમાં દ્રવ્યની વાંસળી તેમજ ફળ; મહેન્દ્રના હાથમાં વ, વજ્ર ફળ અને દંડ; વિજયના હાથમાં દડ, ફળ, વજ્ર અને વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005242
Book TitleJain Moorti Vidhan
Original Sutra AuthorN/A
AuthorPriyabala Shah
PublisherUniversity Granth Nirman Board
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy