SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમૂતિવિધાન બંધાવ્યા, દાન આપ્યું તથા જૈનધર્મને સમૃદ્ધ બનાવ્યું. આ રીતે બારમી-તેરમી સદી સુધી જૈન ધર્મ સારી રીતે પ્રચારમાં હતું. નરસિંહ પહેલાના ચાર સેનાનાયક તથા બે મંત્રી અને વિરબલાળના શાસનના કેટલાંયે જૈનમંત્રી અને સેનાનાયક જૈન હતા. વિજયનગરની સ્થાપના ચૌદમી સદીમાં થઈ. આ સમયે જેનધર્મ અસ્વસ્થ અવસ્થામાં હતો. પરંતુ સહનશીલતા અને ધર્મ નિરપેક્ષતાની ઉદારનીતિ ત્યાંના રાજાઓએ અપનાવી હતી તેથી જૈનધર્મને ઘણું રાહત મળી. બુક્કરાય જૈનેના શરણદાતા હતા. સેનાનાયક ઈરગ૫ જૈન હતા તેને કારણે જૈનધર્મને ચૌદમીપંદરમી સદી દરમ્યાન પ્રોત્સાહન મળ્યું. શ્રવણબેલગેલા, બેલુર, હલેબીડ વગેરે સ્થાનેમાંના બીજા ધર્માવલંબીઓએ જેને સાથે મિત્રતા વધારી. પંદરમી સદીના દેવરાવ પહેલા તથા બીજાએ જૈનેને સહાયતા આપી હતી. વિજયનગરની મુખ્ય રાજધાનીમાં જેનું મૂળ દઢ ન હતું પરંતુ જિલ્લાના નાના નાના ગામોમાં જૈનધર્મનું પોષણ અને આશ્રય સારી રીતે થતો હતે. ચૌદમીથી સત્તરમી સદી સુધી સંગીતપુર, ગેરસેપે, કારકલ વગેરે જેનેના સુંદર કેન્દ્રો હતા. બેલારી, કુડાપ્પા, કેયંબટૂર વગેરે જિલ્લાઓમાં તથા કોલ્હાપુર, ચામરાજનગર, રાયદુર્ગ, કનકગિરિ વગેરેમાં જેની અસર ઘણું હતી. બારમીથી સોળમી સદી સુધી ગેરીમાં અને ૧૪મીથી ૧૯મી સદી સુધી બેલુરમાં જૈનધર્મનું રક્ષણ કરવામાં આવ્યું. પ્રારંભકાળથી મધ્યયુગ સુધી જૈનધર્મ પૂર્વ દેશથી દક્ષિણ અને પશ્ચિમ તરફ ઉત્તરોત્તર વિકાસ પામતે રહ્યો. દક્ષિણમાં તે તેને સુવર્ણયુગ હતો. તે વખતે જૈનોની સંખ્યા બીજા ધર્મીઓ કરતાં અધિક હતી. પરંતુ જ્યારે હિંદુધમે ત્યાં પ્રવેશ કર્યો ત્યારથી જૈનધર્મની અવનતિ થઈ અને જૈનધર્મીઓની સંખ્યા ખૂબ ઓછી થઈ ગઈ. પહેલાને શાસનપ્રેમ, ઉદારવૃત્તિ અને નિઃસ્વાર્થ સેવા આજકાલ તે. ક્ષીણ થઈ ગયા છે. સામાન્ય પ્રજાની અનુકૂળતા પ્રમાણે ધર્મની ગતિશીલતા ચાલે છે હવે ગતિ એ જ જીવન છે. એક બાજુ ઝીણું ઝીણી બાબતોમાં ઊંડા ઉતરતા જઈએ છીએ. બીજી તરફ મહત્ત્વની બાબત પ્રત્યે ઉદાસીનવૃત્તિ કેળવતા જઈએ છીએ. ગૃહસ્થધમ ઉપર સાધુધર્મને પ્રભાવ પડ્યો છે જ્યારે સાધુધર્મમાં ગૃહસ્થના કાર્યો પ્રવેશ્યા છે. જેનમૂતિઓને ઉદ્ભવ ભારતમાં ખાનગી ઘરમાં અને જાહેર સ્થળમાં મૂર્તિનું સ્થાપન કરવાને રિવાજ ઘણા વખતથી માન પામેલો હતો. મૂર્તિના રિવાજને જૈન અને બૌદ્ધધર્મો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005242
Book TitleJain Moorti Vidhan
Original Sutra AuthorN/A
AuthorPriyabala Shah
PublisherUniversity Granth Nirman Board
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy