SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મને પરિચય સેાળમી–સત્તરમી સદીમાં થયા તે રાજસ્થાનીના મહાન લેખક ગણાય છે. દિગમ્બર તરાપથના સ્થાપક અમરચંદ સાંગાનેરના હતા. તેને સમય પણ સત્તરમી સદીના મનાય છે. અઢારમી સદીમાં જયપુરના ગુમાની રામે ગુમાનપથની સ્થાપના કરી હતી. પાઁદરમી સદીથી ઓગણીસમી સદી સુધી રાજસ્થાનમાં જૈનધર્મના જે પ્રભાવ રહ્યો તે ટૂંકમાં આ પ્રમાણે છેઃ સ્થળે સ્થળે મંદિર બનાવવા, પ્રતિષ્ઠા કરાવવી, રાજપુરૂષો પાસેથી દાનના રૂપમાં જમીન મેળવવી વગેરે-સ્તૂપ, સ્તંભ–પાદુકાઓ તથા ઉપાશ્રયેાની સ્થાપના અને મદિરાના જિર્ણોદ્ધાર કરાવવા. આ યુગમાં રાજસ્થાની અને હિન્દીના કેટલાયે સાહિત્યકાર થયા. જયપુરના કસ્બાઓમાં આછામાં એછા ૫૦ દીવાન જૈન હતા તેથી દરેક ક્ષેત્રમાં જૈનધર્મને પ્રાત્સહન મળ્યું. મુસ્લિમ આક્રમણા દરમિયાન જૈનમદિરાની મસ્જિદો પણ બનાવાઈ ગઈ. બારમી સદીન! અજમેરના અઢાઈ દિનકા ઝોંપડા અને સાંચાર તેમ જ ઝાલેારની મસ્જિદો જૈનમ દિર હતા. સેાળમી સદીમાં ખીકાનેરના મંદિર ઉપર આક્રમણ થયું. કોટાના શાહબાદમાં આ રીતે આર ગઝેબે એક મસ્જિદ બનાવી હતી. જેને એ પણ રાજકારણમાં ચોગદાન આપ્યાના ઉદાહરણ છે. કુમારપાલના રાજ્યકાળ દરમિયાન વિમલશાહ આબુના પ્રતિનિધિ હતા. ઝાલારના ઉદયન ખંભાતના રાજ્યપાલ હતા. સેાળમી સદીમાં વીર તેજાએ જોધપુરનું રાજ્ય શેરશાહ પાસેથી રાજા માલદેવને પાછું અપાવ્યું હતું. દીવાન મુષ્ણેાત નેણસી, રત્નસિંહ ભંડારી, અજમેરના શાસક ધનરાજ અને કૂટનીતિજ્ઞ ઇન્દ્રરાજ સિધીના નામ પણ ઉલ્લેખનીય છે. કરમચંદ ખીકાનેરના રાજાના દંડનાયક હતા. મેવાડના આશાશાહે ઉદયસિંહને આશ્રય આપ્ય હતા. ભામાશાહ રાણા પ્રતાપના દીવાન હતા તેણે પ્રતાપને આપત્તિકાળમાં અદ્ભૂત સહાયતા આપી હતી. અગિયારમી સદીના આમેરના દીવાન વિમલદાસ યુદ્ધમાં લડતા લડતા મૃત્યુને શરણ થયા હતા. દીવાન રામચંદ્રે આમેરને મુગલા પાસેથી પાછે લીધે હતા. તેવુ' નામ સિક્કા ઉપર પણ અંક્તિ થયેલુ છે. ૧૧. ટૂંકમાં, હિન્દુ રાજાઓને અધીન રાજસ્થાનમાં જૈનના પ્રભાવ અને પ્રચાર રાજપૂત સમયમાં ખૂબ વધ્યું। હતા અને તે પર પરાને કારણે રાજસ્થાનમાં આજે પણ જૈનમતના અનુયાયીઓ મોટી સંખ્યામાં પ્રાપ્ત થાય છે. દક્ષિણ ભારતમાં જન ધ : ઉત્તરભારતમાં દુકાળ પડવાને લીધે ભદ્રબાહુ પેાતાના સાથે શ્રવણબેલગેલા ગયા. જૈન પરંપરાને આધારે એમ Jain Education International For Private & Personal Use Only વિશાળ મુનિસંધની જાણવા મળે છે કે www.jainelibrary.org
SR No.005242
Book TitleJain Moorti Vidhan
Original Sutra AuthorN/A
AuthorPriyabala Shah
PublisherUniversity Granth Nirman Board
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy