SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનસ્મૃતિ વિધાન વસ્ત્ર અને અલંકારોથી સુશભિત કરવાની પ્રવૃત્તિ વધવા લાગી, તેને કારણે બંનેના મદિરા પણુ અલગ અલગ થઈ ગયા. અને સૌંપ્રદાયમાં ખીજી એક પ્રવૃત્તિને પણ જન્મ થયો. જેમ કે વર્ષાઋતુમાં મુનિએ-સાધુએ એક સ્થળ ઉપર રહેતા હતા પરંતુ પાંચમી છઠ્ઠી સદીથી સ્થાયી રીતથી કેટલાક મુનિએ શૈત્યાલયેામાં રહેવા લાગ્યા તેથી તેઓ ચૈત્યવાસી કહેવાતા અને જે ભ્રમણ કરતા તે વનવાસીનિ કહેવાતા. ચૈત્યવાસીએમાં આચારશિથલતા આવી ગઈ અને ધીરે ધીરે મદિરામાં પેાતાની અને તેના પછી પેાતાના ચેલાઓની ગાદી સ્થાપવા માંડી. એક જગ્યા ઉપર રહેવાના આશય તા પઠન-પાઠન કરીને સાહિત્યરચનામાં સુવિધા મેળવવાને હતા. તેને કારણે અનેક શાસ્ત્રભડારા સ્થપાયા. આ ભંડારા સમસ્ત ભારતમાં ફેલાયા છે. મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન તથા મૈસુરમાં પંદરમી સદીમાં મૂર્તિપૂજાવિરોધી આંદોલન શરૂ થયા અને તેને કારણે શ્વેતામ્બરામાં અલગ સંપ્રદાયાની સ્થાપના થઈ. આ અલગ સંપ્રદાય સ્થાનકવાસી ઢુંઢિયાના નામથી પ્રચલિત થયા, તેમાં મદિરાને સ્થાને આગમાની પ્રતિષ્ઠા થઈ. તેને ખત્રીસ આગમ માન્ય છે તે ખીજા આગમાને સ્વીકાર કરતા નથી, અઢારમી સદીમાં આચાર્ય ભિક્ષુએ સ્થાનકવાસી સંપ્રદાયથી અલગ થઈને તેરાપથી સંપ્રદાયની સ્થાપના કરી. ઉત્તરભારતમાં જૈન ધર્મ : બિહારની સાથે જૈનધમ ના સંબધ પુરાણકાળથી ચાલુ છે. કેટલાંયે તીર્થં કરાએ આ પ્રદેશમાં જન્મ લીધેા હતેા અને વીસ તીર્થંકરાના નિર્વાણ સમેતશિખર ઉપર થયા. મહાવીરે જગા જગા પર અહીં વિહાર કર્યો હાવાથી આ પ્રદેશનુ નામ વિહાર ‘બિહાર' પડયુ. અહીથી ઉડીસા જવાને રસ્તે માનભ્રમ અને સિંહુભૂમથી જતા. આ બંને પ્રદેશામાં જૈનધમ ની અવિચ્છિન્ન પરંપરા હતી. માનભૂમના “પશ્ચિમ બ્રાહ્મણ” પેાતાને મહાવીરના વંશજ માને છે. વળી તે પેાતાને સૌથી પ્રાચીન આર્યાંના વંશજ પણ માને છે. જેએએ સૌથી પ્રાચીનકાળમાં આ ભૂમી ઉપર પગપેસારા કર્યા હતા. તે વેદિક આયેથી પહેલાં આ તરફ આવ્યા હતા. માનભ્રમ અને સિંહબ્રૂમ જિલ્લામાં જૈનાવશેષા મેટી સંખ્યામાં પ્રાચીનકાળથી અગિયારમી સદી સુધીના મળે છે. સમ્રાટ ખારવેલના સમયમાં મગધમાં જૈન ધમે ફરીથી માથું ઉચકયું. ગયાની પાસે બરાબરા પહાડી સુધી તે ફેલાયા હતા. શહાબાદમાં સાતમીથી નવમી સદી સુધીના પુરાતત્ત્વીય અવશેષો મળે છે. રાષ્ટ્રકૂટા અને ચ ંદેલાએ પણ છેટા નાગપુરમાં રાજ્ય કરતી વખતે જૈને પ્રત્યે સહાનુભૂતિ રાખી હતી. અગિયારમી સદીમાં રાજેન્દ્ર ચેાળ બંગાળથી પાછા ફરતી વખતે માનભૂમના જૈન મદિરાના નાશ કર્યાં હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005242
Book TitleJain Moorti Vidhan
Original Sutra AuthorN/A
AuthorPriyabala Shah
PublisherUniversity Granth Nirman Board
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy