SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૨ માણુવક સ્ત’ભ-માનસ્તંભ : જૈનમદિરાની પાસે માનસ્તંભ મૂકવાના રિવાજ હેાય છે. આ માનસ્તંભનું પ્રયેાજન તેના દર્શનમાત્રથી દકેને મદ દૂર થાય છે અને તેના મનમાં ધાર્મિક શ્રદ્ધા ઉત્પન થાય છે. ચિંતાડમાં ઈ. સ. ૧૧૦૦ માં સુંદર કાર્યાસ્ત ભ ઉભા કરવામાં આવ્યું છે જે ૮૦ ફૂટ ઊઁચે છે અને તેને આઠ માળ છે. આ સ્તંભ ગમ્બર સોંપ્રદાયના છે. સ્તંભના છેક ઉપરના મજલા ઉપર મડપ છે. જેમાં ચૌમુખા સ્મૃતિ મૂકેલી છે. જૈનશાસ્ત્રમાં આવા સ્તંભને માણવકસ્તભ કે માનસ્તંભ કહેવામાં આવે છે, સ્ત ંભના છેક નીચેના ભાગે અને છેક ઉપરના ભાગે મૂર્તિઓ મૂકવામાં આવે છે. સમવાયાંગ સૂત્રમાં માણુવકસ્તભને જિનના અસ્થિ અવશેષતે સાચવવા માટેને સ્તંભ કહે છે. રત્નજડિત મજૂધામાં અરિથ અવરોધ મૂકીને તેને લટકાવવામાં આવે છે આવા સ્તંભા જુદા જુદા ઇંદ્રોની સુધર્મા સભામાં હાય છે. ઇંદ્રએ આ ધ્વજ રાપેલા હેાવાથી તેને ઇન્દ્રજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આદિપુરાણુ આવા સ્ત...ભનું વર્ણન આપે છે. આ સ્તંભ સમવસરણના પહેલા પ્રકારમાં કરવામાં આવે છે સ્ત ંભના નીચેના ભાગે ચારે બાજુમાં જિનની સાનાની ચાર મૂર્તિઓ મૂકવામાં આવે છે. સ્તંભ ઘણા ઊંચા હેાય છે અને તે ઘટા અને ચામર વગેરેથી શેાભે છે, તે ત્રણ ગોળાકાર પીઠ ઉપર હેાય છે, તેની ટાચ ઉપર ત્રિચ્છત્રા હાય છે આવા સ્તંભ કે ધ્વજ રોપવાની પદ્ધતિ ઘણી જૂની છે. વેદના સમયમાં લાકડાના સ્થૂણા કે વૈદિક યજ્ઞ વખતના યૂપની યાદ આપે છે. બેસનગરમાં જેમ વાસુદેવમ ંદિરની સામે ગરુડધ્વજ ઊભા કરવામાં આવ્યા હતા. દેવગઢમાંથી પણ આવા પ્રકારના સ્તંભ સળી આવ્યા છે, પરંતુ તેમાં કેટલાક ફેરફાર નોંધપાત્ર છે. જેમકે ટાચ ઉપર ચાર પ્રતિમાએ ઉપરાંત ચાર ગૌણુદેવતાઓ-યક્ષિણી અને ક્ષેત્રપાલ નીચેના ભાગે મૂકવામાં આવે છે. સ્તંભની ટાચ ઉપર કેટલીકવાર ગણુધર અથવા મુખ્ય આચાર્ય-જે જિનેાના સમૂહમાં હેય છે તેને મૂકવામાં આવે છે. દિગમ્બર સપ્રદાયમાં પણ આવા સ્તંભ ઘણાં જ લાતિપ્રય છે. હેમચંદ્રાચાઈ ભિધાન ચિન્તામણિ (૧-૪૭-૪૮)માં સ્તંભને માટે ધ્વજ શબ્દ વાપરે છે. તે તીર્થંકરના લાંછન તરીકે ગણવામાં આવે છે, જ્યારે પ્રતિષ્ઠાસારોદ્ધારમાં તેને જિનના કુટુંબના અમદૂત તરીકે ગણુ વે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005242
Book TitleJain Moorti Vidhan
Original Sutra AuthorN/A
AuthorPriyabala Shah
PublisherUniversity Granth Nirman Board
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy