SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષિણી ૨૧ ૧૯, વૈટિ અથવા અપરાજિતા : શ્વેતામ્બર પ્રમાણે યક્ષિણી પદ્માસના કરવામાં આવે છે. તેના હાથમાં વરદ, અક્ષસૂત્ર, બિજોરૂ અને શક્તિ હેાય છે. દિગબરા મલ્લિનાથ ભગવાનની યક્ષિણી તરીકે અપરાજિતાને જણાવીને તેને સિંહનું વાહન આપે છે. તેના હાથમાં બોરૂ, તલવાર, ઢાલ અને વરદમુદ્રા કરવામાં આવે છે. બિજોરૂ' બન્ને પ્રકારની યક્ષિણીમાં છે. યક્ષિણી બિજોરૂ અવશ્ય ધારણ કરે છે. વૈરોટિ નામ વિદ્યાદેવીના સંબંધમાં ગણાય છે. વિદ્યાદેવી તરીકે તેનું વાહન સિંહ કરવામાં આવે છે દિગમ્બરનું યક્ષિણી સ્વરૂપ અપરાજિતા છે, તેનું પ્રતીક સિંહુ છે. તેરમા તીથંકર વિમલનાથની ક્ષિણી વૈરેટીને દિગમ્બરની વિજ્યા તરીકે • આપણે જોઈ ગયા. વિજ્યા અને અપરાજિતા બંનેનેા અર્થ સરખે કરવામાં આવે છે આ બંને પાછળનેા મૂળ વિચાર બ્રાહ્મણુધર્મની દુર્ગામાંથી ઉદ્ભવેલા હેય એમ જણાય છે. એગણીસમા મલ્લિનાથ પ્રભુની આ શાસન દેવતા છે. તેને યક્ષ કુબેર છે. આ યક્ષિણીના વ શ્યામ કરવામાં આવે છે. ૨૦: નરદત્તા અથવા બહુરૂપિણી : શ્વેતામ્બર સાહિત્ય પ્રમાણે ગૌરવણો, ભદ્રાસન પર બેસનારી નગ્દત્તા નામે મુનિસુવ્રતનાથની શાસન દેવી થઈ. તેના ચાર હાથ કરવામાં આવે છે. તેમાં વરદ, અક્ષસૂત્ર, બિજોરૂ અને ત્રિશૂળ (અથવા કુંભ) ધારણ કરે છે. દિગમ્બર ગ્રંથકારા તેનું બહુરૂપિણો નામ આપે છે. આ યક્ષિણી કૃષ્ણસ (નાગ) ઉપર સ્વારી કરે છે. અને તેના હાથમાં ઢાલ, ફળ, ખડૂગ અને વરદ ાય છે. વરૂણ્ યક્ષ સાથેની ક્ષિણી વરદત્તા હેાવાનું રૂપાવતાર કહે છે. જ્યારે શિલ્પરત્નાકર તેનું નરદત્તા કે અચ્છુપ્તા નામ જણાવતાં, તેને વણું સુવ સમાન અને ભદ્રાસનવાળી ખેઠેલી હાવાનુ કહે છે. નરદત્તા અથવા બહુરૂપણીના પ્રતીકા અને તેમના યક્ષના શવ ગુણ બતાવે છે કે આ યક્ષિણી દુર્ગાનું સ્વરૂપ અથવા બ્રાહ્મણધમઁ ની શક્તિનું સ્વરૂપ છે. તે રીતે વરદત્તાનુ વાહન સિંહ જણાવે છે. યક્ષિણી પ્રમાણે તેના હાથમાં બિજોરૂ અને ઘટ હેાય છે, વણુની પત્નીની સાથે કુભ સંકળાયેલા હેય છે. નરદત્તા અને સુમતિનાથની યક્ષિણી પુરૂષદત્તા ખને એકસરખા અર્થ બતાવે છે અને તેમનું ઉદ્ભવસ્થાન પણ એક જ હાવાનું સંભવે છે. ૨૧. ગાંધારી અથવા ચામુડા : શ્વેતામ્બર પ્રમાણે હંસના વાહન ઉપર બેસનારી છે. તે શ્વેત અંગવાળી છે. યક્ષિણી ગાંધારી અશ્વ ઉપર સ્વારી કરે છે, તેને ચાર હાથ હેાય છે. તેના હાથમાં વરદમુદ્રા, ખડ્ગ, બિજોરૂ અને ભાલા (કુન્ત) હાય છે. દિગમ્બર પ્રમાણે આજ યક્ષિણીનું સ્વરૂપ ચામુંડા મકર ઉપર રવારી કરે છે. અને તેના હાથમાં અક્ષસૂત્ર, દંડ, ઢાલ અને ખડ્ગ હેાય છે. ગાંધારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005242
Book TitleJain Moorti Vidhan
Original Sutra AuthorN/A
AuthorPriyabala Shah
PublisherUniversity Granth Nirman Board
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy