SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका નિશ્ચયધર્મ કહે છે. આ નિશ્ચયધર્મની દ્રષ્ટિના ફળથી થવાવાળા મેહક્ષેાલરહિત નિળ પરિણામને પણ નિશ્ચયધર્મ કહે છે. પ્રશ્ન ૭ : વ્યવહારધમ કોને કહે છે? ઉત્તર : નિશ્ચયધર્માંના પર પરાથી સાધનભૂત એકદેશ શુદ્ધોપયેાગરૂપ અથવા નિશ્ચયધના લક્ષ સહિત કરવામાં આવેલાં શુભેાપયેાગને વ્યવહારધમ કહે છે અથવા નિશ્ચયધના આવિર્ભાવને વ્યવહારધર્મ કહે છે. પ્રશ્ન ૮ : આ ધર્મના ઉપદેશ કઈ પદ્ધતિથી આપવામાં આવે છે? ૪૭૦ ઉત્તર : નિજશુદ્ધ આત્મદ્રવ્ય ઉપાદેય છે પરભાવ હેય છે, નિજશુદ્ધાત્મસંવેદનભાવ ઉપાદેય છે પરભાવ હેય છે. પરમાભાભક્તિ, સંયમ, ધ્યાન ઉપાય છે. પાપ ભાવ હૈય છે ઈત્યાદિ હૈયેાપાદેય બુદ્ધિને પ્રકાશવાવાળી પદ્ધતિથી મેપદેશ આપવામાં આવે છે. પ્રશ્ન ૯ : યતિવરવૃષભ શબ્દના શું અર્થ છે? ઉત્તર : વિષય-કષાયાના વિજય દ્વારા જે નિજ શુદ્ધાત્મતત્ત્વની સિદ્ધિના યત્ન કરે છે તેને યતિ કહે છે, અને જેએ યતિઓમાં શ્રેષ્ઠ છે તેમને યતિવર કહે છે અને યતિવરામાં વૃષભ એટલે પ્રધાન છે તેમને યતિવરવૃષભ કહે છે. પ્રશ્ન ૧૦ : ઉપાધ્યાય શબ્દના શો અર્થ છે? ઉત્તર : રૂપસમીપે, યસ્ય સમીપે અધીતે રાખવો પતિ = ઉપાધ્યાય, જેમના પાસે રહીને આત્મકલ્યાણાથી શિષ્યવુગ અધ્યયન કરે છે તેમને ઉપાધ્યાય કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy