SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ४१६ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૧૬ : જે જ્ઞાન વાસ્તવમાં પરને જ જાણે અને આત્માને જાણે નહીં તે જ્ઞાન અસ્વસંવેદી થઈ જશે અને તે પછી તે જ્ઞાનની સત્યાર્થતા માટે અન્ય જ્ઞાનની જરુર પડશે? ઉત્તર : જ્ઞાન પરને પણ જાણે છે અને જે જ્ઞાને પરવસ્તુને જાણે, તે જ્ઞાન ઠીક છે એવી જાણકારી સહિત જાણે છે. જે એમ ન હોય તો પરના જ્ઞાનમાં નિઃશંકતા આપી શકતી નથી તેથી જ્ઞાન અસ્વસંવેદી થઈ જતું નથી. પ્રશ્ન ૧૭ : “જ્ઞાન સ્વપરપ્રકાશક છે” એ બિલકુલ સત્ય છે કે કેઈ દ્રષ્ટિએ સત્ય છે? ઉત્તર : આત્માને અસાધારણ ભાવ ચૈતન્ય છે. ચૈતન્યના વિકાસની બે પદ્ધતિઓ છે. (૧) આત્માને ગ્રહણ કરવા રુપે પ્રવર્તવું (૨) પરદ્રવ્યને ગ્રહણ કરવા રુપે પ્રવર્તવું. આમાં પહેલી કળાને દર્શન કહે છે અને બીજી કળાને જ્ઞાન કહે છે. આત્માની બધી કળાઓ અને શક્તિઓનું નિર્ણાયક જ્ઞાન છે, અને જ્ઞાનથી જ સર્વ વ્યવહાર થાય છે. તેથી વ્યવહાર અને વ્યવહારના પ્રસંગમાં સમસ્ત ચૈતન્ય અને જ્ઞાનમાં અભેદ વિવક્ષા કરીને કહ્યું કે “જ્ઞાન સ્વપરપ્રકાશક છે. અને આ કથન પરમાથે સત્ય છે. પ્રશ્ન ૧૮ : દર્શન સર્વ પદાર્થોને સામાન્ય પ્રતિભાસ કરે છે એ જે બરાબર ન હોય તે શા માટે તેમ કહેવામાં આવ્યું ? ઉત્તર : દર્શન આત્માને પ્રતિભાસ કરે છે. આત્માના પ્રતિભાસમાં, આત્માની સમસ્ત શક્તિઓને વિકાસ પણ નિર્વિકલ્પપે પ્રતિભાસમાં આવી જાય છે. આ રીતે જ્ઞાને જેટલાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy