________________
गाथा ३५
२९७ પ્રશ્ન ૧ : વ્રત કેને કહે છે?
ઉત્તર : શુદ્ધ રૌતન્યસ્વભાવમય નિજશુદ્ધ આત્મતત્વની ભાવનાથી શુભ-અશુભ સમસ્ત રાગાદિ વિકારેની નિવૃત્તિ થઈ જવી તે વ્રત છે.
પ્રશ્ન ૨ : આ વ્રતની સાધનાના ઉપાય શું છે?
ઉત્તર : વ્રતસાધનાના ઉપાયભૂત વ્યવહાર વ્રત પાંચ પ્રકારે છે. (૧) અહિંસા (૨) સત્ય (૩) અચૌર્ય (૪) બ્રહ્મચર્ય (૫) અપરિગ્રહ.
પ્રશ્ન ૩: અહિંસાવ્રત કોને કહે છે?
ઉત્તર : પિતાના તથા બીજા પ્રાણીઓના પ્રાણને ઘાત ન કરે, પીડા ન પહોંચાડવી તથા સંકલેશ કે દુર્ભાવ ન કરે તે અહિંસાવ્રત છે.
પ્રશ્ન : સત્યવ્રત કેને કહે છે?
ઉત્તર : સ્વ–પરનું અહિત કરવાવાળા બેટાં વચન ન બોલવાં અને તેવા વચને બોલવાને ભાવ ન કરે તે સત્યવ્રત છે.
પ્રશ્ન પ : અચૌર્યવ્રત કેને કહે છે?
ઉત્તર : કોઈને અધિકારવાળી વસ્તુ તેની હાર્દિક સ્વીકૃતિ વિના ન લેવી તથા કોઈ પણ પદાર્થને પિતાને ન માનવે તે અચૌર્યગ્રત છે.
પ્રશ્ન : બ્રહ્મચર્યવ્રત કેને કહે છે?
ઉત્તર : મૈથુનને ત્યાગ કરવો અને તે વિષયની સર્વ પ્રકારની ઈચ્છાઓ ન કરવી તેને બ્રહ્મચર્ય કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org