SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ११ ९९ પ્રશ્ન ૯ અગ્નિકાય જીવની અવગાહના કેટલી હોય છે? ઉત્તર : ઘનાગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ, અગ્નિકાય જીની અવગાહના હોય છે. પ્રશ્ન ૧૦ : વાયુકાય જીવ કોને કહે છે? ઉત્તર : વાયુ જ જેનું શરીર છે તેને વાયુકાય જીવ કહે છે. જે જીવ વાયુકાયમાં ઉત્પન્ન થવા માટે મોડાવાળી વિગ્રહગતિમાં હોય તેને પણ વાયુકાય જીવ કહે છે. તેનું શુદ્ધ નામ વાયુજીવ છે. પ્રશ્ન ૧૧ : વાયુકાય જીવ કેટલા પ્રકારના હોય છે? ઉત્તર : વાયુકાય જીવ અનેક પ્રકારના હોય છે જેવા કે વાત, ઉગમ, ઉત્કલિ, મણ્ડલી, મહાન ઘન, શું જા, વાતવલય વગેરે. પ્રશ્ન ૧૨ : વાયુકાયિક જીવની અવગાહના કેટલી હોય છે? ઉત્તર : ઘનાગુલને અસંખ્યાત ભાગ પ્રમાણ વાયુકાયિક જીની અવગાહના હોય છે. પ્રશ્ન ૧૩ : વનસ્પતિકાય જીવ કેને કહે છે? ઉત્તર : વનસ્પતિ જ જેનું શરીર છે તેને વનસ્પતિકાય જીવ કહે છે. જે જીવ વનસ્પતિકાયમાં ઉત્પન્ન થવા માટે મેડાવાળી વિગ્રહગતિમાં હોય તેને પણ વનસ્પતિકાય કહે છે. આ જીવનું શુદ્ધ નામ વનસ્પતિજીવ છે. પ્રશ્ન ૧૪: વનસ્પતિકાય જીવના કેટલા પ્રકાર છે? ઉત્તર : વનસ્પતિકાય જીવ બે પ્રકારના હોય છે. (૧) પ્રત્યેક–વનસ્પતિ (૨) સાધારણ–વનસ્પતિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy