________________
૪૬
લઘુયોગવાસિષ્ઠ-સાર ઉરાર્ધ જગ જોતાં જેને નહીં, ઈષ્ટ-અનિષ્ટ જણાય; જાણે ઊંઘ, જાગત– તે નર મુક્ત મનાય. ૧૫ નિઃશંકિત નિગ્રંથ જે, દેહ છતાં નિર્વાણ, ચિત્ર-દીપ સમ શાંત તે, જીવન-મુક્ત વખાણ. ૧૬ અહંકારમય વાસના સહજ તજી કૃતકૃત્ય, સ્થિર સ્વરૂપે જે રહે, જીવન્મુક્ત તે મર્ય. ૧૭ તજે અંધ સમ બંધુઓ, સંગ ભુજંગ સમાન; ભેગ રોગ સમ જાણતા, સ્ત્રીમાં ધૃણા પ્રમાણ. ૧૮ મિત્ર-શત્રુ સમ માનતા, તે જનનું કલ્યાણઆ ભવ પરભવમાં થતું, સત્ય વચન આ જાણ. ૧૯ દ્રશ્ય જગત મનથી તજી, અંતર ભાવે શાંત નિર્મળ નભ સમ ક્ષેભ ના, તે પરમેશ્વર કાંત. ૨૦ કરે સમાધિ કે નહીં, ઉપાધિ સમાધિ માન અંતરથી તૃષ્ણ તજે, તે નર સિદ્ધ સમાન. ૨૧ દેહાદિમાં સ્વબુદ્ધિથી, બંધ જીવને થાય; બંધ તણે ક્ષય મેક્ષ છે, આત્મા શુદ્ધ સદાય. ૨૨ દ્રશ્ય થકી મન માંજીને, કરે અદ્રશ્ય સુદ્રશ્ય; નર નિર્વાણ સમીપ તે, ગુરુ-ગમ લહી અવશ્ય. ૨૩ નભ-અંતે ના મેક્ષ કે, ના ભૂતળ, પાતાળ; મન-લય તૃષ્ણા નાશથી, ત્યાં જ મોક્ષ તું ભાળ. ૨૪ ૧. મનુષ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org