________________
૩૪
લઘુયોગવાસિષ્ઠ–સાર પૂર્વાર્ધ
અવિચારે વિનષ્ટ મૂઢ, રાતા સંકટ જોય; વિચારવંત આકૃત પડશે, ધરે ધૈર્ય, નહિ રોય. ૧૯ અનર્થ-ઘર અવિચાર છે, ધિક્કારે સૌ સંત; પરાકાષ્ઠા દુઃસ્થિતિની, આણે। તેના અંત. ૨૦ ‘હું કાણું ?' ‘ભવ શાથી થતા ?’ એ અવલેાકન સાર; સત્શાસ્ત્ર, સત્સંગથી, જાગે તે સુ-વિચાર. ૨૧ ૧‘જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન;' તે જ્ઞાને આત્મા રે, થાય શાંતિનું ભાન. ૨૨ ટળે દુઃખ સૌ શાંતથી, મળે મેાક્ષ નિરધાર; વિવેક-વિચાર વડે થતું, તે ન વિચાર વિસાર. ૨૩ સફળ ફળે પુરુષાર્થ સૌ, ઉત્તમ ગતિ પણ થાય; સ્ફુટ વિચાર-તૃષ્ટિ થયે, વો વિચારદશા ય.” ૨૪
‘લઘુયેાગવાસિષ્ઠ-સાર’પૂર્વાનું
નવસુ' ‘માક્ષ-દ્વારપાળ : (૨) વિચાર' પ્રકરણ સમાસ તા. ૧૭-૨-૧૦, શુક્ર. ફા. સુ. ૧, ૨૦૦૬.
૧ શ્રીમદ્ રાજચંદ્ર-આત્મસિદ્ધિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org