________________
લઘુગવાસિષ્ઠ-સાર પૂર્વાર્ધ
સાતમું પ્રકરણ વસિષ્ઠગુરુનો બોધ
(દોહરો) વસિષત્રષિ
“તરંગમય કે સ્થિર જળ, જળપણ નહીં ભેદ, જીવમુક્ત વિદેહમુક્ત, બને તેમ અભેદ. ૧ જીવન્મુક્ત આ વ્યાસજી, દેહરૂપ દેખાય, પણ તે મિથ્યા કલ્પના, ભાવે નિશ્ચય થાય. ૨ મુક્ત વિદેહી, દેહીં કે, બેધરૂપ નહિ ભેદ, વાયુ સ્થિર કે ચાલતે, વાયુરૃપે અભેદ. ૩ અબોધ-તમહર કાનના, આભૂષણ સમ બોધ; શ્રવણ કરે છે રામજી ! કરજો અંતર શોધ. ૪ સદાચાર શાક્ત તે, ચિત્તશુદ્ધિ દેનાર; સગુરુયોગે જ્ઞાનની, પ્રાપ્તિ પછી થનાર. ૫ જીવન્મુક્ત સુખે રહે, જ્ઞાનદયે સદાય જેમ શશી શીતળ રહે, પુરુષાર્થ સૌ થાય. ૬ પૂર્વકર્મ પુરુષાર્થ ગત, પૂર્ણ ટળી પણ જાય; સપુરુષાર્થે આ ભવે, જીવન્મુક્ત જ થાય. ૭
૧. પૂર્વે કરેલા પુરુષાર્થના ફળરૂપ પૂર્વકર્મ કે પ્રારબ્ધ છે, તેને આ ભવના સવળા પ્રબળ પુરુષાર્થ વડે ક્ષય કરી જીવ જીવન્મુક્ત બની શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org