________________
લઘુયોગવાસિષ્ઠ-સાર પૂર્વાર્ધ
પાંચમું પ્રકરણ ઉપદેશની માગણી
(દોહરા) રામ–
સુખદુઃખાદિ ઠંદ્ર ના, નડે જ્ઞાનીને કાય; જ્ઞાનદશા પ્રગટાવવા, બોધ ચહું, ષિરાય. ૧ ચંદ્ર વડે જે ના ટળે, તેવું તિમિર ને રાત; તેમ મહાત્મા--સંગમે, ત્રિતાપની ના વિસાત. ૨ કરવત વેરે દેહ તે, સહી શકુ, ગણી વ્યર્થ; પણ તૃષ્ણના તાપને, સહેવા નહીં સમર્થ. ૩ આ આયુ વાયુ સમ ચપળ, વૈભવ વિદ્યુત જેમ; યૌવન જળરેલા સમું, મોક્ષલક્ષ નહિ કેમ? ૪ અનર્થ સંકટ ખાડમાં, જગત જોઈ મુજ ચિત્ત અનુકંપાએ કંપતું, ચિતા પંકે લિસ. ૫ દેવ વિમાન તજે નહીં, તેમ તજે નહિ ચિત્તબળાત્કારે ય ચપળતા, વિના આશ્રય સુતત્વ. ૬ તેથી સત્ય યથાર્થ શું? જન્મ મરણ ના જ્યાંય; સર્વ ઉપાધિ-ત્યાગ ક્યાં ? સ્થાન નિશ્ચંત ક્યાંય? ૭ ભયકર ભવમાં આપ સૌ, રહે મહાત્મા નિત્યજીવન્મુક્ત, ઉપાય તે, કહે મને તે સત્ય. ૮ ભવે વ્યવહાર સાધતાં, કમળ સમા નિર્લિપરહે, કહે શું ચિંતવી, તજી ચિત્ત-વિક્ષેપ? ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org