________________
1ረ
લઘુયોગવાસિષ્ઠ-સાર પૂર્વાર્ધ
પરિભ્રમણ કરતાં જગે, જીવન ચાલ્યું જાય; એનાં એ કર્મો કર્યું, ફળ અનુભવ પણ થાય. ૧૯ તૃષ્ણા સરિતા તાણતી, વેગે સર્વ પદાર્થ; તટ-તરુ સંતેષાદ્દિને, ઉખેડવાય સમર્થ. ૨૦
દેહનાવ ચર્મ મઢી, ઊછળે ભવજળમાંય; વિવેક નાવિક ના મળે, ઇંદ્રિય ખેંચે ક્યાંય, ૨૧
સ્ત્રી-લાલચથી ના ચળે, ગર્વે નહિ છલકાય; આપદમાં નિ ખેદ તે, દુર્લભ સંત સદાય. ૨૨ ગજ-તરંગ રણ-૧અબ્ધિમાં, તરે તે ન શૂરવીર; મન-તરંગ ભવજળ તરે, તે માનું રણધીર. ૨૩ સ્વયં અભાગી પામતા, આફ્ત જગમાં જેમ; સ્વયં ભાગ્યશાળી વરે, સંપત્તિ પણ તેમ. ૨૪
*
સ્વજન સાયન સમ ગણે, ભ્રાંતિ વડે નર તેાય; અંતસમય વિષયાદિ સહ, એર સમાં સૌ હોય. ૨૫ શરીર-સુખ, ધન-લાલચે, ધર્મ ધકેલે જાય; પ્રવૃત્તિમાં ભવ ગાળતાં, કેમ શાંત મન થાય? ૨૬ સત્સમાગમ સુકૃત્ય વિષ્ણુ, ભમી ઘણું નર કોય; સાંજે આવીને સૂતાં, ઊંધ મૂર્ખને હાય. ૨૭ સઘળે ગિરિ પથરા સદા, પૃથ્વી માટી રૂપ; વૃક્ષ કામય, જીવ સૌ, ધરે દેહ સ્વરૂ૫. ૨૮
૧. સમુદ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org