________________
(૨) આત્મદશા-વર્ણન
વિચારણા આવી ઊગી :~ ‘સંસારે શું સુખ ? મરવા જીવા જન્મતા, પગલે પગલે દુઃખ. મરે વળી તે જન્મવા, જીવન ગણું અસાર; ભાગ અનિત્ય બધા અરે! પાપરૂપ અપકાર. ૧૦ પુણ્ય લગી દેખાય તે, સુખ કલ્પના ધાર; મનને લઈને સર્વે આ, મેાહ તા વિસ્તાર. ૧૧ ઇંદ્રજાળ જેવું અહા ! હૈયાફૂટ્યા ખાસ; ગુલામ સમ સૌ વેઠ આ, કરતા પણ ના ત્રાસ. ૧૨ લાલચથી ખાડે પડે- મૃગ તેમ મેહ ખાડ ગંધાતી ત્યાં મૂર્ખ જન, પડતાં ભાંગે હાડ. ૧૩ દૃશ્ય બધું શું ? કેણુ હું ? શા કારણુ સંયોગ ? રાજ્ય, ભાગ શા કામનાં ? મિથ્યા ભાસે ભેગ. ૧૪ એમ વિચારે જાગતી, જંગે અરુચિ સર્વત્ર; મરુભૂમિમાં પથિકને, તાપે જેમ અ-છત્ર. ૧૫ પવને ગિરિતરુ-મૂળની, શક્તિ જેમ વીખરાય; તેમ ભાગ-પરિચય થતાં, દેહ જર્જરિત થાય. ૧૬ પવને પેલા વાંસમાં, શબ્દ વેણુ સમ થાય; તેમ અ-પુરુષાર્થી જના, શયંત્ર લેખાય. ૧૭ જીણું તરુ-કાટર વિષે, અગ્નિ મૂકયે જેમતપે, તેમ હું પણ તયું, ‘દુઃખ ટળે આ કેમ ?’ ૧૮ વિના અશ્રુ સાચ્ ૨, સ્વજનાદિકથી ગુપ્ત; નીરસ વૃત્તિ હૃદયની, માત્ર વિવેકે વ્યક્ત. ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org