________________
સમાધિશતક-વિવેચન
૨૮૭ - તેથી યથાશક્તિ અગવડલેચ, વિહાર, મૌન, આસન, રાત-દિવસ સ્વાધ્યાય-ધ્યાન, ટાઢ, તાપ, ઉપવાસ આદિ કલેશકારી ક્રિયાઓથી થતાં કષ્ટો સહન કરતાં કરતાં આત્મસ્વરૂપની ભાવના મુનિ ભાવે, તે ઉપસર્ગ કે મરણની કઠણાઈ સમભાવે સહન થઈ શકે, અને અંતે સમાધિમરણ થાય.
“જે જીવ પિતાને મુમુક્ષુ માનતે હોય, તરવાને કામી માનતે હોય, સમજુ છું એમ માનતા હોય તેણે દેહને વિષે રેગ થતી વખત આકુળવ્યાકુળપણું થયું હોય તે તે વખત વિચારવું કે તારું મુમુક્ષુપણું, ડહાપણ, ક્યાં ગયાં? તે વખતે વિચાર કેમ નહીં કરતે હેય? જે તરવાને કામી હોય તો તે દેહને અસાર જાણે છે, દેહને આત્માથી જુદો જાણે છે, તેને આકુળતા આવવી જોઈએ નહીં. દેહ સાચવ્યો સચવાતું નથી, કેમકે તે ક્ષણમાં ભાંગી જાય છે, ક્ષણમાં રોગ, ક્ષણમાં વેદના થાય. દેહના સંગે દેહ દુઃખ આપે છે માટે આકુળ-વ્યાકુળપણું થાય છે તે જ અજ્ઞાન છે. શાસ્ત્ર શ્રવણ કરી રે જ સાંભળ્યું છે કે દેહ આત્માથી જુદો છે, ક્ષણભંગુર છે; પણ દેહને વેદના આવ્યું તે રાગદ્વેષ પરિણામ કરી બૂમ પાડે છે. દેહ ક્ષણભંગુર છે એવું તમે શાસ્ત્રમાં સાંભળવા શું કરવા જાઓ છે ? દેહ તે તમારી પાસે છે તે અનુભવ કરે. દેહ પ્રગટ માટી જેવું છે, સાચવ્યો સચવાય નહીં, રાખે રખાય નહીં. વેદના વેદતાં ઉપાય ચાલે નહીં. ત્યારે શું સાચવે? કંઈ પણ બની શકતું નથી. આ દેહને પ્રત્યક્ષ અનુભવ થાય છે, તે તેની મમતા કરી કરવું શું? દેહને પ્રગટ અનુભવ કરી શાસ્ત્રમાં કહ્યું કે તે અનિત્ય છે, અસાર છે, માટે દેહમાં મૂછ કર્યા જેવું નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org