________________
૨૮૬
ગ્રન્થ-યુગલ
થાય.”
જીવનાં ચૈતન્યપણને, ત્રિકાળ હેવાપણને કેઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય.
તેને કઈ પણ પ્રકારે બંધદશા વર્તે છે એ વાતને કેઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય.
તે બંધની નિવૃત્તિ કેઈ પણ પ્રકારે નિઃસંશય ઘટે છે, એ વાતને કેઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. " એક્ષપદ છે એ વાતને કઈ પણ કાળે સંશય નહીં
હાથોંધ-શ્રીમદ્ રાજચંદ્ર હવે જ્ઞાનની સ્થિરતા અર્થે દુઃખ સહિત ભેદ-જ્ઞાનની ભાવના કરવા ગ્રંથકાર પ્રેરણા કરે છે –
अदुःखभावितं ज्ञानं क्षीयते दुःखसन्निधौ । तस्माद्यथाबलं दुःखैरात्मानं भावयेन्मुनिः ॥१०२।। અદુઃખે જ્ઞાન ભાવેલું, દુઃખ દેખી જશે ખસી તેથી આત્મા મુનિ ભાવે, યથાશક્તિ દુખે વસી. ૧૦૨
ભાવાર્થ – કેઈને એમ વિચાર આવે કે અમર આત્મા છે, પરમાનંદસ્વરૂપ છે, જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવવાળે છે એવી જ્ઞાન-ભાવનાથી જ મુક્તિ મળે; આકરી, કાય-ફ્લેશ આદિ કિયાના અભ્યાસરૂપ મુનિપણની શી જરૂર છે? તેને ગ્રંથકાર આ ગાથામાં ઉત્તર આપે છે –
કાય-કલેશ આદિ કષ્ટ સહ્યા વિના સુકુમારપણે શાતાશીલિયા અવસ્થામાં “દેહાદિથી આત્મા ભિન્ન છે, શારીરિક વેદના દેહને ધર્મ છે, આત્માને જે ભાવમાં રહેવું હોય તે પ્રમાણે તે ભાવ પલટાવી શકે છે એમ મન દ્વારા વારંવાર એકાગ્રપણે ચિંતન કરેલું આત્મસ્વરૂપનું જ્ઞાન, દુઃખ આવી પડે ત્યારે, ખસી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org