________________
સમાધિશતક-વિવેચન
૨૮૫ નગર, ધન, વગેરેને સંબંધ પણ તે વખતે છૂટી જશે, પણ તે બધાને જેનાર આત્માને નાશ થતું નથી.
કેઈ શંકા કરે કે સ્વમઅવસ્થામાં દીઠેલી વસ્તુઓને તથા પિતાને નાશ ભ્રાંતિને લીધે લાગે છે, ત્યાં તે કંઈ હેતું જ નથી અને નાશ પણ પામતું નથી. તેને ગ્રંથકાર ઉત્તર આપે છે કે જાગ્રત અવસ્થામાં આત્માને નાશ થયે એમ માનનારા પણ ભ્રાંતિવાળા છે, વિચારવાનું છે તે દેહના નાશથી આત્માને નાશ થયે એમ માનતા જ નથી. તેથી બને અવસ્થાઓમાં આત્માને નાશ અ-સિદ્ધ છે; જેમ સ્વમ અવસ્થામાં પતે હયાત હોવા છતાં, નાશ નહીં થયા છતાં વિનાશ ભાસે છે, તે વિપસ કે ભ્રાંતિ છે, તેમજ જાગ્રત અવસ્થામાં પણ સમજવું.
બીજું પદ – “આત્મા નિત્ય છે.” ઘટપટઆદિ પદાર્થો અમુક કાળવતી છે. આત્મા ત્રિકાળવર્તી છે. ઘટપટાદિ સંગે કરી પદાર્થ છે. આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે, કેમ કે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંગે અનુભવયેગ્ય થતા નથી. કેઈ પણ સંયેગી દ્રવ્યથી ચેતનસત્તા પ્રગટ થવા યોગ્ય નથી, માટે અનુત્પન્ન છે. અસંગી હોવાથી અવિનાશી છે, કેમકે જેની કોઈ સંગથી ઉત્પત્તિ ન હોય, તેને કેઈને વિષે લય પણ હોય નહીં.”
“જીવના અસ્તિત્વપણાને તે કઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય.
જીવનાં નિત્યપણુંને, ત્રિકાળ હેવાપણને કઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org