________________
સમાધિશતક-વિવેચન
૨૮૧ એ જ ભેદ છે; વસ્તુતાએ ભેદ નથી. તે આવરણ ક્ષીણ થવાથી આત્માનું સ્વાભાવિક સિદ્ધ સ્વરૂપ પ્રગટે છે.
અને જ્યાં સુધી તેવું સ્વાભાવિક સિદ્ધ સ્વરૂપે પ્રગટ્ય નથી, ત્યાં સુધી સ્વાભાવિક શુદ્ધ સ્વરૂપને પામ્યા છે એવા સિદ્ધ ભગવાનની ઉપાસના કર્તવ્ય છે, તેમ જ અહંત ભગવાનની ઉપાસના પણ કર્તવ્ય છે, કેમકે તે ભગવાન સગીસિદ્ધ છે. સગરૂપ પ્રારબ્ધને લઈને તેઓ દેહધારી છે; પણ તે ભગવાન સ્વરૂપસમવસ્થિત છે. સિદ્ધ ભગવાન અને તેમના જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં કે વીર્યમાં કંઈ પણ ભેદ નથી; એટલે અહંત ભગવાનની ઉપાસનાથી પણ આ આત્મા સ્વરૂપલયને પામી શકે છે........
તેમ જ શ્રી દેવચંદ્ર સ્વામીએ શ્રી વાસુપૂજ્યના સ્તવનમાં કહ્યું છે કે “જિનપૂજા રે તે નિજ પૂજના.'
યથાર્થ મૂળદ્રષ્ટિથી જોઈએ તે જિનની પૂજા તે આમસ્વરૂપનું જ પૂજન છે.
સ્વરૂપ-આકાંક્ષી મહાત્માઓએ એમ જિન ભગવાનની તથા સિદ્ધ ભગવાનની ઉપાસના સ્વરૂપ પ્રાપ્તિને હેતુ જાયે છે. ક્ષીણમેહ ગુણસ્થાનપર્યત તે સ્વરૂપચિતવના જીવને પ્રબળ અવલંબન છે. વળી માત્ર એકલું અધ્યાત્મસ્વરૂપચિંતવન જીવને વ્યાહ ઉપજાવે છે. ઘણા જીવને શુષ્કતા પ્રાપ્ત કરાવે છે, અથવા સ્વેચ્છાચારીપણું ઉત્પન્ન કરે છે, અથવા ઉન્મત્તપ્રતાપદશા ઉત્પન્ન કરે છે. ભગવાનના સ્વરૂપના ધ્યાનાલંબનથી ભક્તિપ્રધાન દૃષ્ટિ થાય છે, અને અધ્યાત્મદ્રષ્ટિ ગૌણ થાય છે. જેથી શુષ્કતા, સ્વેચ્છાચારીપણું અને ઉન્મત્તપ્રલાપતા થતાં નથી. આત્મદશા બળવાન થવાથી સ્વાભાવિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org