________________
સમાધિશતક-વિવેચન
વચ્ચેના ભાગ કઇ રીતે ગાળવા માટે પણ એ અભ્યાસની ખચીત જરૂર છે. એ કથન અનુભવગમ્ય છે, ઘણાને તે અનુભવમાં આવ્યું છે. ઘણા આર્ય સત્પુરુષો તે માટે વિચાર કરી ગયા છે; તેઓએ તે પર અધિકાધિક મનન કર્યું છે. આત્માને શેાધી, તેના અપાર માર્ગમાંથી થયેલી પ્રાપ્તિના ઘણાને ભાગ્યશાળી થવાને માટે, અનેક ક્રમ બાંધ્યા છે; તે મહાત્મા જયવાન હા! અને તેને ત્રિકાળ નમસ્કાર હા !” —શ્રીમદ્ રાજચંદ્ર
જ્ઞાનમાર્ગનું દૃષ્ટાંત ગ્રંથકાર આપે છે કે જેમ અરણીનાં લાકડાંને મથવાથી (અથવા જંગલમાં ઝાડના એક ડાળ સાથે ખીજું ડાળ નિરંતર ઘસાવાથી) અગ્નિ પ્રગટે છે; તેમ જ આત્મા આત્માને (પેાતાને) ઉપાસીને પણ પરમાત્મા અને છે. આ માર્ગે પણ જીવા પરમપદ પામ્યા છે. પૂર્વ ભવના ધર્મઆરાધક જીવાને માર્ગની માહિતી હાવાથી તે પેાતાની મેળે જ ધર્મ આરાધી વિના અવલંબને પણ મેક્ષે જાય છે. ‘ગુરુ વિના જ્ઞાન થાય નહીં” એ કહેવત સામાન્ય જીવેાની અપેક્ષાએ સત્ય છે. છેવટે તે પાતે પેાતાના ગુરુ અની, પેાતાની સંપત્તિ સંપૂણૅ પ્રગટાવવાની છે. શરૂઆતમાં અવલંબન હિતકારી છે. હવે આ બન્ને માર્ગ દર્શાવી, ગ્રંથકાર પરમપદની ભાવના નિરંતર કરવા મુમુક્ષુવર્ગને પ્રેરતાં આગળની ગાથા દર્શાવે છે .
-:
—
F
Jain Education International
૨૭૯
इतीदं भावयेन्नित्यमवाचागोचरं पदम् । स्वत एव तदाप्नोति यतो नावर्तते पुनः ॥ ९९ ॥ ॥ એમ આત્મા સદા ભાવા, અવાચ્ય પદ પામશે; એની મેળે મળે મેક્ષ, જેથી ના ફરી જન્મશે. ૯૯
For Private & Personal Use Only
www.jainelibrary.org