________________
૨૭૮
ગ્રન્થ-યુગલ પૂર્ણતા પામવાનો એ માર્ગ છે. પણ એ માર્ગ વિકટ હોવાથી, અન્યના અવલંબનનું કે સત્સંગનું બળ નહીં હવાથી, અત્યંત સાવધાની તેમાં રાખવી પડે છે. તેથી કઈ પૂર્વના આરાધક મહાપુરુષને બાદ કરતાં સામાન્ય મુમુક્ષુવર્ગ તે તેવા સ્વબુદ્ધ પુરુષના અવલંબને સહેલાઈથી દયેયની પ્રાપ્તિ ભક્તિમાર્ગ દ્વારા સાધે છે.
તત્વજ્ઞાનની ઊંડી ગુફાનું દર્શન કરવા જઈએ તે, ત્યાં નેપથ્યમાંથી એ ધ્વનિ જ નીકળશે કે, તમે કોણ છે? ક્યાંથી આવ્યા છે? કેમ આવ્યા છે? તમારી સમીપ આ સઘળું શું છે? તમારી તમને પ્રતીતિ છે? તમે વિનાશી, અવિનાશી વા કેઈ ત્રિરાશી છે? એવા અનેક પ્રશ્નો હદયમાં તે ધ્વનિથી પ્રવેશ કરશે અને એ પ્રશ્નોથી જ્યાં આત્મા ઘેરાય ત્યાં પછી બીજા વિચારોને બહુ જ થોડે અવકાશ રહેશે; યદિ એ વિચારથી જ છેવટે સિદ્ધિ છે એ જ વિચારોના વિવેકથી જે અવ્યાબાધ સુખની ઈચ્છા છે, તેની પ્રાપ્તિ થાય છે, એ જ વિચારેના મનનથી અનંત કાળનું મૂઝન ટળવાનું છે, તથાપિ તે સર્વને માટે નથી. વાસ્તવિક દ્રષ્ટિથી જોતાં તેને છેવટ સુધી પામનારાં પાત્રોની ન્યૂનતા બહુ છે; કાળ ફરી ગયું છે, એ વસ્તુને અધીરાઈ અથવા અશૌચતાથી અંત લેવા જતાં ઝેર નીકળે છે અને ભાગ્યહીન અપાત્ર અને લેકથી ભ્રષ્ટ થાય છે, એટલા માટે અમુક સંતેને અપવાદરૂપ માની બાકીનાઓને તે ક્રમમાં આવવા, તે ગુફાનું દર્શન કરવા ઘણા વખત સુધી અભ્યાસની જરૂર છે, કદાપિ તે ગુફાદર્શનની તેની ઈચ્છા ન હોય તે પણ પિતાનાં આ ભવનાં સુખને અર્થે પણ જમ્યા તથા મૂઆની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org