________________
૨૭૬
ગ્રન્થ-યુગલ યયન વગેરે અનંત વાર કર્યું છે, તથાપિ જે કંઈ પણ અવશ્ય કરવા એગ્ય હતું તે તેણે કર્યું નથી, જે કે અમે પ્રથમ જ જણાવ્યું છે.
સૂયગડાંગસૂત્રમાં ઋષભદેવજી ભગવાને જ્યાં અઠ્ઠાણું પુત્રને ઉપદેશ્યા છે, મોક્ષમાર્ગે ચઢાવ્યા છે ત્યાં એ જ ઉપદેશ કર્યો છે –
હે આયુષ્યમને! આ જીવે સર્વે કર્યું છે. એક આ વિના, તે શું ? તે કે નિશ્ચય કહીએ છીએ કે સત્પરુષનું કહેલું વચન, તેને ઉપદેશ તે સાંભળ્યાં નથી, અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યાં નથી. અને એને જ અમે મુનિઓનું સામાયિક (આત્મસ્વરૂપની પ્રાપ્તિ) કહ્યું છે.” –શ્રીમદ્ રાજચંદ્ર
પત્રમાં જણાવ્યા પ્રમાણે જ્ઞાની પુરુષનાં ચરણારવિંદ અચળ પ્રેમે અને સમ્યક પ્રતીતિ સહ સેવનારને જ્ઞાનપ્રાપ્તિ થાય છે તે વાત આ ગાથામાં પ્રથમ મહાત્મા પૂજ્યપાદસ્વામી જણાવી ઉત્તરાર્ધમાં તેનું દ્રષ્ટાંત આપે છે કે બળતા દીવાની જ્યોતિ સાથે દીવેલની ભીની બત્તીને સ્પર્શ થતાં તે જ બીજે દી પ્રગટે છે. અચળ સ્નેહ અને સમ્યક પ્રતીતિ એ દીવેલ અને કેડિયું છે. બત્તી છે તે જીવની પરમાર્થ-જિજ્ઞાસા છે. તે બધી સામગ્રી સફળ થવાનું કારણ આત્મજ્ઞાની પુરુષને પ્રત્યક્ષ કેગ અને ઉપાસના છે.
જ્ઞાનમાર્ગ દુરારાધ્ય છે, પરમાવગાઢદશા પામ્યા પહેલાં તે માર્ગ પડવાનાં ઘણું સ્થાનક છે. સંદેહ, વિકલ્પ, સ્વછંદતા, અતિપરિણામીપણું એ આદિ કારણે વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે, અથવા ઊર્વભૂમિકા પ્રાપ્ત થવા દેતાં નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org