________________
સમાધિશતક-વિવેચન
૨૭૫
સત્સંગ જીવને હિતકારી છે; તેથી સશ્રદ્ધા પ્રગટે છે અને ત્યાં વૃત્તિ રેકાઈ તહીનતા થવાનું કારણ અને છે. હવે તેવા હિતકારી સમાગમથી પરમપદ પમાય છે, તે વાત ગ્રંથકાર કહે છે:--
भिन्नात्मानमुपास्यात्मा परो भवति तादृशः । वतिदपं यथोपास्य भिन्ना भवति तादृशी ॥६७॥ જ્ઞાનન્દ્વના પાય સેવે તે, પામે છે તેની જ દશા; જ્યાતિને સ્પર્શતાં ખત્તી, દીવે દીવા જ, જો પ્રથા. ૯૭
ભાવાર્થ :-ભાવ અપ્રતિદ્વૈતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યપ્રતીતિ આવ્યા વિના સત્સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને આવ્યેથી અવશ્ય તે મુમુક્ષુ જેનાં ચરણારવિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે, અને સેવશે. જ્ઞાનપ્રાપ્તિ એથી અમને થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે પણ જ્ઞાનપ્રાપ્તિના એ જ માર્ગ છે. સર્વ શાસ્ત્રાના આધ લક્ષ જોવા જતાં એ જ છે. અને જે કાઈ પણ પ્રાણી છૂટવા ઇચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવા એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિ કાળથી પરિભ્રમણ કર્યું છે. જ્યાં સુધી જીવને સ્વચ્છંદરૂપી અંધત્વ છે, ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી. (અંધત્વ ટળવા માટે) જીવે એ માર્ગને વિચાર કરવા; દૃઢ મેાક્ષેચ્છા કરવી; એ વિચારમાં અપ્રમત્ત રહેવું, તે માર્ગની પ્રાપ્તિ થઈ અંધત્વ ટળે છે, એ નિઃશંક માનો. અનાદિ કાળથી જીવ અવળે માર્ગે ચાલ્યા છે. જોકે તેણે જપ, તપ, શાસ્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org