________________
૨૭૪
ગ્રન્થ-યુગલ
જેને ખરા–ખાટાની કિંમત થઈ છે, તે ભેદ જેને મધ્યો છે તેને સમ્યક્ત્વ પ્રાપ્ત થાય.
અસદ્ગુરુથી સત્ સમજાય નહીં, સમકિત થશે નહીં. ઢયા, સત્ય, અદત્ત ન લેવું એ આદિ સદાચાર એ સત્ પુરુષની સમીપ આવવાનાં સત્તાધન છે. સત્પુરુષા જે કહે છે તે સૂત્રના, સિદ્ધાંતના પરમાર્થ છે. સૂત્ર સિદ્ધાંત તે કાગળ છે. અમે અનુભવથી કહીએ છીએ, અનુભવથી શંકા મટાડવાનું કહી શકીએ છીએ. અનુભવ પ્રગટ દીવા છે; ને સૂત્ર
કાગળમાં લખેલ દીવા છે.”
-શ્રીમદ્ રાજચંદ્ર
એક વાત સમજાય નહીં ત્યાં સુધી બીજી વાત સાંભળવી શું કામની ? એક વાર સાંભળ્યું તે સમજાય નહીં ત્યાં સુધી બીજી વાર સાંભળવું નહીં. સાંભળેલું ભૂલવું નહીં,એક વાર જમ્યા તે પચ્યા વગર ખીજું ખાવું નહીં તેની પેઠે. તપ વગેરે કરવાં તે કાંઈ મહાભારત વાત નથી; માટે તપ કરનારે અહંકાર કરવા નહીં. તપ એ નાનામાં નાના ભાગ છે. ભૂખે મરવું ને ઉપવાસ કરવા તેનું નામ તપ નથી. માંહીથી શુદ્ધ અંતઃકરણ થાય ત્યારે તપ કહેવાય; અને તે મેાક્ષગતિ થાય.’’ —શ્રીમદ્ રાજચંદ્ર અસત્સંગ, અસત્પ્રસંગ, આરંભ-પરિગ્રહ એ વૈરાગ્ય, ઉપશમના કાળ સમાન છે, તેથી સાચી શ્રદ્ધા થવી કે ટકવી મુશ્કેલ છે. જ્યાં પરમાર્થની ચર્ચા થતી હાય, સંસારની અસારતા સમજાતી હાય, સ્વદોષ દેખવાની પ્રેરણા થતી હાય, શાસ્ત્રાના સુંદર પ્રશ્નો થતા હોય, જ્ઞાનધ્યાનની સુથા થતી હાય, જ્યાં સત્પુરુષોનાં ચરિત્ર પર વિચારણા થતી હાય, તત્ત્વજ્ઞાનના તરંગની લહરી છૂટતી હૈાય તેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org