________________
સમાધિશતક-વિવેચન
૨૭૧
-
-
ભાવાર્થ :— સ્વમ અવસ્થામાં દેખાતા દેહને વિષે પણ આત્મબુદ્ધિ ન થાય એવા ભેદજ્ઞાનને અભ્યાસ કરવા ૮૨ મી ગાથામાં ભલામણ ગ્રંથકારે કરી છે. ૯૩ મી ગાથામાં તથા ૯૪ મી ગાથામાં જ્ઞાનીપુરુષને અભ્યાસના ફળરૂપે ઊંઘમાં, સ્વપ્નાદિ અવસ્થામાં પણ આત્મસ્વરૂપનું સંવેદન અતૂટક રહે છે એમ દર્શાવ્યું છે. તેનું મૂળ શું છે તે હવે દર્શાવે છે.
જે વિષયમાં બુદ્ધિ પ્રથમ પ્રેરાય છે એટલે આ પેાતાને હિતકારી છે એમ લક્ષ થાય છે, ત્યાં જ જીવને રુચિ, પ્રીતિ, ભાવ, શ્રદ્ધા પ્રગટે છે. જ્યાં શ્રદ્ધા થઈ તે જ વૃત્તિના વિસામારૂપ ટકવાનું સ્થાન બને છે; ત્યાં જ વારંવાર વૃત્તિ ખેંચાય છે અને તેમાં જ આસક્તિ થાય છે, ત્યાં જ ચિત્ત ચાટે છે અને લીન થાય છે.
માનસશાસ્ત્ર કે કેળવણીના આ સિદ્ધાંત છે કે જે કામ ચિત્તને પસંદ પડે છે, ગમે છે, તે શીખતાં વાર લાગતી નથી; તેથી જે અભ્યાસ બાળકને કરાવવા હાય તેમાં તેની રુચિ ઉત્પન્ન થાય તેવા પ્રયત્ન કરવાથી વગર મહેનતે આપાઆપ બાળક તે અભ્યાસમાં જોડાઈ જાય છે.
તેવી જ રીતે વૈરાગ્યભરેલાં મહાપુરુષોનાં ચરિત્રો, મરણાદિ પ્રસંગેા અને જગતનાં દુઃખાની વાતા સાંભળવાની, ચર્ચવાની, વાંચવાની જોગવાઇ મુમુક્ષુ જીવને પ્રાપ્ત થાય તે મેાક્ષ પ્રત્યે રુચિ વધે છે, તે પ્રત્યે પુરુષાર્થ સહેજે સહેજે થાય છે. એવી રુચિ જેને પ્રગટી છે, તેનું ચિત્ત સંસાર પ્રત્યે ઉદાસીનતા ધરાવે છે અને વારંવાર આત્મસ્વરૂપમાં રાચતું થઈ, લીન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org